આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬ : ગ્રા મો ન્ન તિ
હિંદુસ્તાનની પાંત્રીસ કરોડની વસતિ માત્ર એક જ દસકો—
દસકાનો પ્રયોગ
(૧) એકાદ ગૃહઉદ્યોગ પસંદ કરી તેને જીવન વ્યવસ્થામાં વણી લે,
(૨) પરદેશી માલ ન વાપરે,
(૩) અને ખરીદીમાં પણ ગૃહઉદ્યોગના માલને પસંદગી આપે,
તો ગ્રામપુનર્ઘટનાનું કાર્ય કેટલું વેગવાળું, જીવંત અને સરળ બને ?
ગ્રામજીવનની આર્થિક ઉન્નતિ માટે સહાયભૂત બનનારા તત્ત્વોનો વિચાર પૂરો કરતા પહેલાં ફરીથી અત્રે ભાર મૂકવો જોઇએ કે આર્થિક અને સામાજીક ઉન્નતિ એ બન્ને જુદી જુદી ઉન્નતિ નથી; ઢાલની માત્ર બે બાજુઓ જ તે છે. એક બાજુ બીજી ઉપર જીવી શકે છે. ભેદ માત્ર પ્રત્યેકને છૂટક છૂટક વિગતવાર સમજવા માટે જ પાડ્યો છે.
ગ્રામજીવન સમસ્તનો વિચાર કરીએ તો તેમાં આર્થિક ઉન્નતિ અર્થે ગ્રામ અને ગૃહ-ઉદ્યોગનું સ્થાન નીચે પ્રમાણે દર્શાવી શકાય.
ગ્રામજીવન | |||||||||||||||||||||||||||||
આર્થિક ઉન્નતિ | સામાજીક ઉન્નતિ | ||||||||||||||||||||||||||||
આરોગ્ય શિક્ષણ | કેળવણી | કલા–સૌંદર્ય અંગ | નાગરીકત્વ | ||||||||||||||||||||||||||
ઉત્પન્નમાં વધારો | |||||||||||||||||||||||||||||