પૃષ્ઠ:Gramonnati.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.






૧૫
સ્વદેશી શા માટે ?

ઇતિહાસ દષ્ટિએ
સ્વદેશી આંદોલન

રાજકીય ચળવળ આટલી વ્યાપક નહોતી ત્યારે પણ સ્વદેશીની ભાવના છેક અવ્યક્ત નહોતી. સ્વદેશી સંબંધી બહુ ઝળકતા વિચારો નર્મદે કર્યા છે. દલપતરામની હુન્નરખાનની ચઢાઈ પણ તે સમયના સ્વદેશી આંદોલનની સૂચક છે. સદ્‌ગત રા. બ. કાંટાવાળાનું ‘દેશી કારીગીરીને ઉત્તેજન’ નામનું પુસ્તક આજ પણ આપણે વાંચીને લાભ મેળવી શકીએ એમ છે. લોકપ્રિય લેખમાળા નામની ઉપયોગી લેખશ્રેણી શ્રેયઃસાધક વર્ગ તરફથી બહાર પડતી હતી. તેમાં ‘વિલાયતી’ નામનો એક લેખ આવ્યો હતા. એ લેખ આજની જ્વલંત સ્વદેશી ભાવનાને પણ પોષે એવો અસરકારક છે.

બંગભંગથી ગાંધી-
યુગ સુધી

પછી તો બંગભંગ વખતે સ્વદેશી ભાવના વ્યાપક બની ગઈ, અને રાજકીય પ્રકરણમાં તેણે મહત્ત્વનું સ્થાન મેળવ્યું. એ મહત્ત્વ દિવસે દિવસે વધતું ચાલ્યું અને મહાત્મા ગાંધીજીએ તેને ધર્મનું સ્વરુપ આપી દીધું. રાજ્ય પ્રકરણમાં જે વસ્તુ ભળે