પૃષ્ઠ:Gramonnati.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦ : ગ્રા મો ન્ન તિ
 



ગરીબી ટાળવા
સ્વદેશી


૧) આપણો દેશ ગરીબમાં ગરીબ દેશ છે.
(ર) કરોડો માણસને પેટપૂર ખાવા મળતું નથી.
(૩) કરોડો માણસને અંગઢાંકણ પૂરતું મળતું નથી.
(૪) કરોડો માણસોનાં રહેઠાણ માનવીને રહેવા યોગ્ય નથી.

એ સ્થિતિ ટાળવા માટે સ્વદેશી.

હિંદવાસીઓ દયાળુ કહેવાય છે. ગરીબીના ઘા રૂઝવવા હોય, કરોડો માણસો બે ટંક અનાજ પામે, કરોડો માણસો આછું પાતળું વસ્ત્ર મેળવી દેહ ઢાંકે, અને કરોડો માણસો છાપરાં નીચે સૂઈ શકે એમ કરવું હોય તો હિંદવાસીઓ સ્વદેશી વાપરે. જરા પણ દયાળુ વૃત્તિ હિંદવાસીમાં રહી હોય તો તે સ્વદેશી માલ વાપરે.

સ્વદેશી એટલા માટે કે,

(૧) કરોડો રૂપિયાનું કાપડ હિંદ પરદેશથી ખરીદે છે.
(૨) કરોડ રૂપિયાનાં સાંચાકામ બહારથી હિંદમાં આવે છે.
(૩) મોજશોખનાં સાધન અને ઝીણીમોટી વસ્તુઓ માટે હિંદને પરદેશનું અવલંબન કરવું પડે છે, અને કરોડો રૂપિયા તે પરદેશ મોકલાવ્યે જાય છે.

પરદેશ જતું અઢળક
નાણું બચાવવા સ્વદેશી

એ અબજબંધ નાણુ પરદેશ જતું અટકાવવું હોય તો તેટલા માટે વિદેશી આટઆટલું નાણું પરદેશ ઘસડાઈ જાય છે અને ગરીબોની ગરીબી વધ્યે જાય છે એ જોયા કરવાની કઠોરતા હજી કેટલાના હૃદયમાં રહી છે ?