પૃષ્ઠ:Gramonnati.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨ : ગ્રા મો ન્ન તિ
 


સંસ્કાર દૃષ્ટિએ
સંસ્કારસ્વાતંત્ર્ય
માટે સ્વદેશી

(૧) આપણા સંસ્કારનું સ્વાતંત્ર્ય સાચવવા માટે સ્વદેશી. હિંદવાસીઓને પરાયા સંસ્કારોમાં જ તણાયે જવું છે ? એ પરાયા સંસ્કારો શુદ્ધ અને કલ્યાણકારક હોય તો ભલે તે સંસ્કારો આપણે ગ્રહણ કરીએ. પરંતુ બધા ય પરાયા સંસ્કારો શુદ્ધ અને કલ્યાણકારક છે ?

(૨) આપણા દેખાવ અને પહેરવેશનું સ્વાતંત્ર્ય સાચવવા માટે સ્વદેશી. દેશકાળને અનુસરી જરૂર પહેરવેશને આપણે ફેરવીએ. પરંતુ પરદેશી પહેરવેશ વગર આપણી શિષ્ટતા નહિ જ સચવાય એવી પરાધીન મનોવૃત્તિથી રચાતો પહેરવેશ તો બાળી જ મૂકવો જોઈએ.

(૩) આપણી ભાવિ પ્રજાને દેખાવ અને સંસ્કારની ગુલામીમાંથી મુક્ત કરવા માટે સ્વદેશી. આપણી જવાબદારી આજની જ નથી. ભાવિ પ્રજા આપણા યુગને પ્રશ્ન પૂછશે : ‘અમારે માટે તમે શું કર્યું ?’ ‘સંસ્કારની પરાધીનતા અમે તમારે માટે સ્વીકારી’ –એવો જવાબ ન આપવો પડે એ માટે સ્વદેશી.

ઉપરાંત સ્વદેશી

સ્વાભિમાન, સ્વદેશા-
ભિમાન તથા જગત-
કલ્યાણની ભાવના અર્થે
સ્વદેશી

(૧) સ્વાભિમાનની લાગણી પોષવા માટે. આપણી શરમો અનેક છે, પરદેશી માલ વગર આપણને નથી ચાલતું એમ કહી સ્વાભિમાનની લાગણીને છેવટનો ફટકો આપણે મારવો છે?