પૃષ્ઠ:Gramonnati.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંસ્કાર દૃષ્ટિએ : ૧૩૩
 


(૨) સ્વદેશાભિમાનની લાગણી પોષવા માટે. આપણો દેશ ભલે પરાધીન હોય ! પરંતુ શું ખાવું, શું પીવું, શું નિદાન પહેરવું અને શું વાપરવું એ પ્રશ્નોના ઉકેલમાં તો આપણે સ્વતંત્ર જ છીએ. આપણે આપણું રાજ્ય ચલાવવા ભલે નાલાયક કહેવાઈએ, પણ આપણે આપણા દેશની બનાવટ વાપરવા માટે પણ નાલાયક કહેવાવું છે ?

(૩) માનવજાતના કલ્યાણ માટે. માનવજાત ભેગી મળી આગળ વધી શકે; એકમેકનો હાથ ઝાલી પ્રગતિ સાધી શકે. આપણે દુર્બળ, પરાધીન, પરાશ્રયી રહી માનવજાતને ભારરૂપ નીવડી ઘસડાઈશું ? કે જગતનો ભાર હળવો કરી પ્રગતિની દોડમાં આપણો વેગ પૂરીશું ? પોતાની જરૂરિયાતો પૂરી ન પાડી શકતો, પોતે ઉપજાવેલી ચીજો વાપરવાની અશક્તિ ધરાવતો દેશ માનવજાતનું શું કલ્યાણ સાધશે ?

એકંદર વિચાર કરતાં સ્વદેશી

આજથી જ સ્વદેશી

(૧) દેશની ગરીબી ટાળવા માટે,

(૨) દેશને સમૃદ્ધ બનાવવા માટે,
(૩) આપણી સંસ્કારસ્વતંત્રતા જાળવવા માટે,
(૪) ગરીબોના પોષણ માટે,
(૫) સ્વાભિમાન અને સ્વદેશાભિમાન સજીવ રાખવા માટે,
(૬) જગતકલ્યાણની ભાવના પોષવા માટે છે.

દયાભાવથી, શરમથી, ધર્મ માનીને, જરુરીયાત સમજીને પણ સ્વદેશી ધર્મ આપણે પાળવો જ જોઈએ. આજે ચૂકીશું તો કાલ આપણી નથી.