પૃષ્ઠ:Gramonnati.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આરોગ્ય રક્ષણ : ૧૪૫
 


કલાકનાં હજાર સવાહજાર માણસો અને ચોવીસ કલાકનાં પચીસ ત્રીસ હજાર માણસોનો ભોગ લેતા રોગનું ભયંકરપણું સમજવું જોઈએ. અને એ મરણપ્રમાણ ગ્રામજનતામાં જરા ય ઓછું નથી.

ગયા દસકામાં – ઘણું કરી સને ૧૯૨૬ની સાલમાં – સમગ્ર હિંદના વૈદ્યકીય સંશોધકોની એક પરિષદ મળી હતી. તેનો એક ઠરાવ આપણા અનારોગ્ય સંબંધમાં આપણી આંખ ઉઘાડે એવો છે. એ ઠરાવ કહે છે કે :

૧ અટકાવી શકાય એવા રોગથી દર વર્ષે હિંદમાં થતાં મરણની સંખ્યા પચાસથી સાઠ લાખ જેટલી છે.
૨ અટકાવી શકાય એવા રોગથી પીડાતો પ્રત્યેક મનુષ્ય બેથી ત્રણ અઠવાડિયાં જેટલી મહેનત અને તેનું ઉત્પાદન દર વર્ષે અચૂક ગુમાવે છે.
૩ અટકાવી શકાય એવા રોગને વશ થનારો પ્રત્યેક મનુષ્ય પોતાની શક્તિ, આવડત, હોંશિયારી અને દક્ષતામાં વીસ ટકા જેટલી ખામી અનુભવે છે, અને માંદા પડવાનો વારો તો લગભગ બધાનો જ વારાફરતી આવે છે. એક વર્ષમાં આમ છ સાત કરોડ માનવીઓની શક્તિ વીસ ટકા જેટલી ઘટી જાય છે.
૪ જે બાળકો જન્મે છે તેમાંનાં માત્ર અડધાં જ – પચાસ જેટલાં જ બાળકો રોજી મેળવી શકે એટલી ઉમર પ્રાપ્ત કરે છે. અડધોઅડધ બાળકો તો બાળક તરીકે જ મરી જાય છે.
૫ આ જન્મેલાં બાળકોમાં ૮૦ થી ૯૦ ટકા જેટલાં બાળકો તો લાંબુ જીવી શકે એમ છે.
૬ આ આંકડા વધારે પડતા મૂકાયા નથી. ઊલટ છે તેના કરતાં હળવી સ્થિતિના તે દર્શક છે.