પૃષ્ઠ:Gramonnati.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪ : ગ્રા મો ન્ન તિ
 


આપણને ન આવે તો આપણે બીજાનું ભલું કરવાના ઢોંગ જતો કરવો જોઇએ. પડોશીના વિચારમાં જ આખી સામાજિક ઘટનાના વિચારોનો પાયો નખાય છે. સામાજિક જીવનનું પ્રથમ પગલું પડોશભાવમાં જ મૂકાય છે. પડોશી સાથેનું આપણું વર્તન એ આપણા આખા વર્તનનું મધ્યબિંદુ છે. પડોશીના આંગણામાં ગંદકી કરનાર કુટુંબ સ્વાર્થી, ટૂંકી દૃષ્ટિવાળું અને સમાજવિઘાતક છે.

અને આવી વ્યક્તિઓ, આવાં ઘર અને આવાં કુટુંબ કેટલાં હશે?

આમ રોગથી બચવા માટે આપણે વ્યક્તિગત અને કૌટુંબિક સ્વચ્છતા રાખવા ઉપરાંત આપણી આસપાસ આપણે લીધે અસ્વચ્છતા ન થાય એની ખાસ કાળજી રાખવાની જરૂર છે.

સભ્યતા અને સ્વ-
ચ્છતા

સ્વચ્છતાને લગતાં ઘણાં વ્યક્તિગત કાર્યો સાથે આપણી સભ્યતા, સંસ્કાર અને શિષ્ટતાનો સંબંધ સ્વાભાવિક રીતે જ બંધાઈ જાય છે. એની આસપાસ આપણે સાહજિક રીતે મર્યાદા અને લજ્જાના પડદા ઢાંકીએ છીએ, અને તે જ યોગ્ય છે. ગમે ત્યાં ગમે તે પ્રકારની ગંદકી કરવાની આપણી ટેવ પણ માનસમાં રહેલી આપણા સમગ્ર જીવનમાં રહેલી અવ્યવસ્થા, અસભ્યતા, સંસ્કારહીનતા અને અશિષ્ટતાનું જ પ્રતિબિંબ છે એમ કહેવામાં જરા ય હરકત નથી. વ્યક્તિગત અને સામાજીક સ્વચ્છતા ઉપર જ આપણી પ્રગતિ ઘણે અંશે અવલંબન કરે છે એ ભૂલવાનું નથી. એટલે દંતધાવન, મલોત્સર્ગ, સ્નાન જેવી આવશ્યક સ્વચ્છતાની વિધિમાં જેટલી મર્યાદા સચવાય અને જેટલું એકાંત સાધી શકાય તેટલે અંશે આપણે આપણી શિષ્ટતા અને સંસ્કાર વધારે નિર્મળ બનાવી શકીએ એમ છે.