પૃષ્ઠ:Gramonnati.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.




૨૦
શેરી અને ગામ
સાખ પડોશી

ઘર અને આંગણું સ્વરછ રાખ્યા પછી શેરી અને ગામની સ્વચ્છતાનો પણ ભાગ આપોઆપ સિદ્ધ થઈ જાય છે.

પરંતુ એ સિદ્ધિ મેળવવામાં જ આપણે શેરી અને ગામનો વિચાર કરવો પડે છે.

ઘરનો કચરા આંગણામાં ન નાખો એ પહેલી વાત, પડોશીના આંગણામાં ન નાખવો એ બીજી વાત. તો પછી તે ક્યાં નાંખવો ? પાડોશી ન હોય એવા કોઈના આંગણામાં ?

ના. આપણી સ્વચ્છતાની ભાવના જ આપણને તેમ કરતાં રોકશે. આપણે સાખ પડોશી ન હોય તે પણ ક્રમવાર આપણા જ પડોશી છે. શેરીમાં રહેતાં સઘળાં માણસો આપણાં પડોશી એમ ન માનીએ તો જેના આંગણામાં આપણે કચરો નાખીએ તે આપણા આંગણામાં સ્વાભાવિક રીતે જ કચરો નાખી જશે.

બીજી શેરી

તો કોઈ બીજી શેરીમાં આપણે આપણી અસ્વચ્છતા ફેંકવી ? નહિ જ. એ પણ એવું જ અપકૃત્ય છે કે જેનો બદલો સ્વાભાવિક રીતે જ આપણને મળે. આપણે આપણા ઘરને અને આંગણાને સ્વચ્છ રાખવાં