પૃષ્ઠ:Gramonnati.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.





૨૩
ખોરાક, બાળઉછેર અને કેળવણી
ખોરાક

આરોગ્યરક્ષણનાં બીજાં અંગોને આપણે ઝડપથી જોઈ લઈએ. જેમ હવા, પાણી અને પ્રકાશ જીવનનાં આવશ્યક તત્ત્વો છે તેમ ખોરાક પણ જીવનનું આવશ્યક તત્વ છે. ખોરાકમાંથી શરીરને પોષનારાં તત્ત્વો મળે છે, અને દેહના ઘડતરમાં એ તો અગત્યનું સ્થાન ભોગવે છે. શરીરની રચના અને ખોરાકના સંબંધની શાસ્ત્રીય વાતમાં આપણે ઊંડા ઉતરવાની અત્રે જરૂર નથી. એટલું જાણવું બસ થશે કે ખોરાક એ જીવન છે, ખોરાક ઉપર આરોગ્યરક્ષણનો મોટો આધાર છે, અને ખોરાક પ્રત્યે આપણે નિષ્કાળજી રાખી શકીએ નહિ.

પ્રજીવનક-વિટેમિન્સ

ખોરાકના પદાર્થોમાં પ્રજીવનક–Vitamins રહેલાં છે, અને વર્ગીકરણનો શોખ ધરાવતી શાસ્ત્રીયતા એ પ્રજીવનકોને અ–બ–ક–ડ જેવા વિભાગમાં વહેંચી નાખે છે. આ ગૂંચવણભર્યા શાસ્ત્રને વિજ્ઞાનવિદો માટે રાખી આપણે એટલું જ સમજી લઈએ કે દેહના સંરક્ષણ અને વર્ધન માટે એ જીવન આપનારાં પૌષ્ટિક તત્ત્વોની દેહને ખૂબ જરૂર છે.

મિશ્રણ અને
વિવિધતા

ખોરાકની પ્રત્યેક વસ્તુમાં એ બધાં ય પૌષ્ટિક તત્ત્વો પૂરા પ્રમાણમાં હોતાં નથી. એટલે ખોરાકની વસ્તુઓમાં વિવિધતા પ્રવેશ કરે છે. ખોરાકમાં મિશ્રણ કરવું પડે છે, ખોરાકને બાફવાની, શેકવાની,