પૃષ્ઠ:Gramonnati.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨ : ગ્રા મો ન્ન તિ
 


ઉકાળવાની, તળવાની, આથવાની કે ઠારવાની ક્રિયાદ્વારા પ્રજીવનકોને જાગ્રત કરવાની જરૂર પડે છે, અને રૂચિ તથા પાચનક્રિયાનો સંબંધ નિકટનો હોવાથી રુચિપ્રેરક ખાદ્યપેય પદાર્થો બનાવવાની પ્રવૃત્તિ વિસ્તૃત બની એક મોટા શાસ્ત્રનું સ્વરૂપ ધારણ કરી પાકશાસ્ત્રને નામે ઓળખાય છે.

આમાં કોઈ સ્થળે ખામી આવે એટલે આપણું આરોગ્ય ભયમાં આવી પડે છે. ખોરાકની સ્વચ્છતા તો અતિશય જરૂરી છે જ. પરંતુ ખોરાકનું પ્રમાણ, મિશ્રણનું પ્રમાણ, સમય અને ઋતુની અસર એ બધું સમજવા સરખું છે. એકલા ઘઉં કે એકલી બાજરી, એકલા ચોખા કે એકલી દાળ દેહને જોઇતાં સઘળાં તત્ત્વો આપી શકતાં નથી. એટલે ખોરાકમાં મિશ્રણ અને વિવિધતા જોવામાં આવે છે. આપણાં ચાલુ ખોરાક મિશ્રણોમાં આવો કાંઇ વિચાર રહેલો છે એમ તો દેખાઈ આવે છે. અને શોધકો જેમ જેમ તપાસ કરે છે તેમ તેમ તેમની સાર્થકતા પણ સમજાઈ આવે છે.

અનાજ ઉપરાંત દૂધ, ઘી, માખણ, છાશ, શાક અને ફળ પણ આપણા ખોરાકની વસ્તુઓ છે જેમાં રહેલાં તત્ત્વો સમજી આપણે તેમનો ઉપયોગ કરીએ તો આપણું આરોગ્ય સચવાઈ રહે.

ખોરાક, સ્વાદ અને આરોગ્ય પરસ્પર સંકળાયેલાં છે.

ધનિક વર્ગનો ખોરાક

પરંતુ આ તો જાણે આપણે બધા ખૂબ ખોરાક મેળવતા હોઈએ એવી વાત થઈ. સુખી–એટલે ધનિક અગર ઊંચો મધ્યમ વર્ગ વિવિધતા ભર્યો ખોરાક મેળવી શકે–જો કે એ વર્ગે ભાગ્યે જ ખોરાકની બાબતમાં જગતને બહુ સારો દાખલો બેસાડ્યો હોય. આમે ધનિક વર્ગ કે એ વર્ગની લગોલગ આવતા ઉચ્ચ મધ્યમ વર્ગે કશીયે બાબતમાં સારું દૃષ્ટાંત પૂરું પાડ્યું હશે કે કેમ એની જ હવે સહુને શંકા ઉપજવા માંડી