વળી બાળઉછેરનો પ્રશ્ન પણ ગ્રામઆરોગ્ય સાથે બહુ જ સંબંધ ધરાવે છે. સાથે સાથે સંતતિ-નિયમનનો અતિ ચર્ચાપાત્ર બની ગએલો પ્રશ્ન પણ વિચારણા માગે છે.
હિંદની પાંત્રીસ કરોડની વસતિ હવેની ગણતરીમાં ચાળીસ કરોડની સંખ્યાએ પહોંચવાની આશા રખાય છે. વસતિ હોવી એ સારું છે, પરંતુ એ વસતિ ગુલામોની બનેલી હોય તો વસતિનો વધારો માત્ર બંદીવાનની જ સંખ્યા વધારે છે.
અભાવ
વળી વસતિ વધે તેમ વસતિનાં પોષણ સાધનો વધતાં હોય તો એ વધારાની હરકત નહિ. પરંતુ સાધનો એનાં એ રહે અને પોષણપાત્ર સંખ્યા વધ્યા કરે તો એ સાધનોની વહેંચણી ઘટતી ચાલવાની.
ઉદ્યોગનો અભાવદેશમાં ઉદ્યોગ એટલો બધો વધતો નથી કે જેથી વધારાની વસતિને રોજગાર મળી શકે.
મર્યાદા
સરકારી નોકરીમાં તો સ્થાન મર્યાદિત જ હોય. એટલે ગ્રામજનતાને જમીન ઉપર જ આધાર રાખવાનો. જમીન એટલીને એટલી જ રહે અને વસતિ વધે એટલે તે પ્રમાણમાં પોષણ પણ ઘટવાનું. પોષણ ઘટે એટલે આરોગ્ય પણ ઊતરતી કક્ષાનું થાય. પરદેશી સત્તાએ ઉપજાવેલી ભયંકર શાંતિએ વસતિ વધારી અને સાથે સાથે દરિદ્રતા પણ વધારી