પૃષ્ઠ:Gramonnati.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.




૨૪
ગ્રામજીવન અને વ્યાયામ


ગ્રામજીવનની કસો-
ટીએ

આજનાં સર્વ મૂલ્યાંકનમાં ગ્રામજીવન બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેળવણી, વ્યાપાર, હુન્નર ઉદ્યોગ, રાજકારણ, સાહિત્ય તેમ જ કલા એ સર્વની કસોટી કરતી વખતે આપણે ગ્રામજીવનને આગળ લાવીએ છીએ, અને પૂછીએ છીએ કે એ સર્વ ગ્રામજીવનને ઉપયોગી થઈ પડે એમ છે કે નહિ ? ગ્રામજીવનને જે ન આપી શકાય, ગ્રામજીવન સુધી જે ન પહોંચાડી શકાય, ગ્રામજીવન પાસે જેનો સ્વીકાર ન કરાવી શકાય એની કીંમત નજીવી બની જાય છે. કારણ ગ્રામ, ગ્રામજીવન અને ગ્રામજનતાનું ભુલાયલું મૂલ્ય પરિવર્તન પામી રહ્યું છે. ગ્રામ એ હિંદ–બ્રહ્માણ્ડનો પિંડ બની ગયું છે. ગામની પ્રગતિ એટલે જ દેશની પ્રગતિ એમ સર્વત્ર સ્વીકાર થવા લાગ્યો છે.

વ્યાયામને પણ એ જ કસોટીએ ચઢાવવાની જરૂર રહે છે. આપણે વ્યાયામસંમેલનો કરીએ છીએ, વ્યાયામ પરિષદો ભરીએ છીએ, વ્યાયામનો પ્રચાર કરીએ છીએ; એ બધું ગ્રામજીવનની દૃષ્ટિએ ઉપયોગી નિવડે તો જ તેમાં સફળતા માની શકાય.