પૃષ્ઠ:Gramonnati.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨ : ગ્રા મો ન્ન તિ
 


પરંતુ આ કસરત, રમતગમત અને કવાયત એ ત્રણ વિભાગમાં વહેંચાયેલી વ્યાયામપ્રથા ગ્રામજીવનને જરૂરી છે કે કેમ એ પ્રશ્નનો ઉકેલ ન થાય ત્યાં સુધી વ્યાયામની જરા સરખી મીમાંસા પણ નિરૂપયોગી થઈ પડશે. ગ્રામજીવનને ઘડવાની, તેને ઉપયોગી થઈ પડવાની વ્યાયામમાં શક્તિ હોય તો જ વ્યાયામને ગ્રામજનતા – ખરા હિંદ – પાસે રજુ કરી શકાય.

ગ્રામજનતા અને
વ્યાયામ

વ્યાયામનો ઉદ્દેશ આરોગ્યરક્ષણ અને આરોગ્યવર્ધનનો હોય તો જરૂર ગ્રામજનતાને વ્યાયામ ઉપયોગી થઈ પડશે. ગ્રામજનતાનું આરોગ્ય જરા ય ઉંચી કક્ષાનું નથી. ઘણી વખત ગ્રામવાસીઓની શારીરિક શક્તિની વાતો કરી આપણે શહેરીઓને શરમાવવા મથીએ છીએ. ગ્રામવાસીઓની મહેનતુ ટેવો કેટલેક દરજજે ગ્રામવાસીઓને શ્રમ સહન કરવાની વધારે શક્તિ આપે એ સંભવિત છે. પરંતુ આપણું – આપણી ગ્રામજનતાનું મરણપ્રમાણ, રોગપ્રમાણ અને શરીરપ્રમાણ ગ્રામજનતાના આરોગ્ય અને બળને માત્ર કલ્પિત બનાવી દે એમ છે. પચીસ કે છવીસ વર્ષે ગુજરી જતો હિંદવાસી આરોગ્યનો નમૂનો કદી ન બની શકે. આરોગ્યરક્ષણની અને આરોગ્યવર્ધનની શહેરીને જેટલી જરૂર છે તેટલી જ ગ્રામવાસીને જરૂર છે. અને કસરતથી તે મળે એમ હોય તો જરૂર એ ગ્રામવાસીને મળવી જ જોઈએ. ગ્રામવાસીને જેટલે દરજ્જે આપણે મજબૂત અને તંદુરસ્ત બનાવી શકીશું તેટલે દરજ્જે સમગ્ર હિંદની સમૃદ્ધિમાં આપણે વધારો કરી શકીશું. ગ્રામજનતાનું અનારોગ્ય, ગ્રામજનતાની શક્તિહીનતા આર્થિક દૃષ્ટિએ – સ્વાર્થદષ્ટિએ પણ હાનિકારક છે.

સ્વરક્ષણની શક્તિ જેનામાં હોય તે પરરક્ષણની હિંમત કરી