પૃષ્ઠ:Gramonnati.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામજીવન અને વ્યાયામ : ૨૨૩
 


સ્વરક્ષણ અને વ્યાયામ

શકે. હિંદમાં સ્વરક્ષણની શક્તિ છે ખરી ? પૂર્વજોની જીતને આગળ કરી અંદર અંદર ગાળો દેવામાં વીરત્વ ધરાવતા હિંદુ-મુસલમાનોએ સ્વતંત્ર પૂર્વજોનું નામ લેતાં શરમાવું જોઈએ. ભાષણીઆ ગાળાગાળી, પોકળ વીરત્વભરી બોલાબોલી, નાનીનાની મારામારી, પથરાની ફેંકાફેંકી, અસાવધ નિર્દોષનાં ખૂન, અને અરક્ષિત મકાનોનો અગ્નિદાહ કરતા પરાધીન પાગલ હિંદુ મુસલમાનોએ અને ખાસ કરી તેમને ઉશ્કેરી સલામતીમાં સરકી જનાર આગેવાનોએ આપણી જૂની કહેવત પ્રમાણે ઢાંકણીમાં પાણી ઘાલી ડૂબી મરવું જોઇએ. હિંદના આજકાલના હિંદુમુસ્લીમ ઝઘડા એ હિંદે કદી ન જોયલી બેવકુફીની, હલકટપણાની અને પાપ નીતરતા ઝનુનની પરાકાષ્ટા છે. પ્રભુ એ ઝેરથી ગ્રામજનતાને બચાવે !

ગ્રામજનતામાં સ્વરક્ષણની શક્તિ પણ ખીલવી જ જોઈએ. સાધુફકીરની ગાળો ખાતા, ડગલે પગલે ગભરાઈ ઉઠતા, ચોર અને ધાડપાડુઓની વાતોથી છળી જતા, દબડાવી ખાનાર ચૌદશીયાઓ અને મવાલીઓથી કાંપી જતા, સહુની શેહમાં તણાતા ગ્રામવાસીઓ આપણી નજર આગળ હોય એ શું કોઇને પણ શોભાસ્પદ છે ? પ્રજાનો મોટા ભાગ મારેલ, હીન અને તુચ્છતા અનુભવતો હોય તો તેની પાસેથી હીમ્મતભર્યાં, મર્દાનગીભર્યાં, સાહસભર્યાં કે ઉપયોગી કાર્યોની આશા આપણાથી રાખી શકાય જ નહિ. સ્વરક્ષણનો હક્ક ગ્રામપ્રજા સમજે અને સ્વરક્ષણનું બળ મેળવે એમ કરવાની સહુની ફરજ છે. પણ એ સ્વરક્ષણનું બળ નગરવાસીઓને કસરતથી મળે તો ગ્રામજનતાને કસરતથી શા માટે ન મળે ?

પરરક્ષણ

સ્વરક્ષણનું બળ આપોઆપ પરરક્ષણના કાર્યમાં માનવીને દોરશે. સ્વરક્ષણની શક્તિથી હીન બનેલો માનવી ક્રૂર, સ્વાર્થી, બીજાનો ભોગ આપવામાં