પૃષ્ઠ:Gramonnati.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮ : ગ્રા મો ન્ન તિ
 

પાસે પૈસો છે. શાહુકારને નિશાળ પ્રત્યે ભાવ નથી પણ તેની મૂડી વધારે તેવી નિશાળ પ્રત્યે અભાવ પણ નથી.

ગ્રામજીવન અને ધ્યે-
યનો વિરોધ :

આવી સ્પષ્ટ સ્વાર્થવૃત્તિ અને ગ્રામોન્નતિમાં સમાયેલી તેમની અવનતિની માન્યતા શાહુકારોને ગામના આગેવાન તરીકે અપાત્ર ઠરાવે છે. શાહુકારોની આગેવાની ગામના લાભમાં વપરાતી હોય એમ જાણ્યામાં નથી. હિંદુસ્તાનના કોઈપણ ગામડાની પ્રજાને તેના કોઈ શાહુકારે તારી એમ સાબિત થાય તો એ શાહુકારની છબી સોનાના ચોકઠામાં મઢી ગામેગામ રાખવાની સૂચના વધારે પડતી નહિ ગણાય.

જમીનદાર શાહુકાર :

મોટે ભાગે આગેવાન શાહુકાર આગેવાન ખાતાદાર થઈ પડે છે, એ પણ ગ્રામજીવનના અભ્યાસીઓ સારી રીતે જાણે છે. વ્યાજ, વટાવ, કોથળી છોડામણી વગેરે વ્યાપારસૂચક નામોની પાછળ એવી કરામત રહેલી હોય છે કે શાહુકારના દેણદાર ખાતાદાર શાહુકારને જમીન સોંપી દઈ તેના જ ગણોતિયા બની જાય છે. એટલે શાહુકાર મોટા જમીનદાર પણ બની જાય છે.

તેમની આગેવાનીના
ગેરલાભ :

પરદેશથી ધન કમાઈ લાવેલા, તેમ જ ગામમાં રહેતા હોંશિયાર માણસ પોતાની કુનેહથી અને પૈસાના જોરે ગામની ઘણી જમીનના માલિક બની જાય છે. એક પાસ મજૂરી કરતા સામાન્ય ખાતેદાર બે પાંચ વીઘામાં પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે બીજી પાસ બસો ને પાંચસો વીઘાંના ખાતેદારો પણ એ જ ગામમાંથી નીકળી આવે છે. આવા શાહુકાર તથા જમીનદાર જેવા સંપત્તિના બળે અગ્રણી બનેલા ગ્રામજનો શહેરના ધનિકોની માફક સામાન્ય જનતાથી ઊંચા અને અલગ બનીને બેસે છે. તેમનું ઉચ્ચ સ્થાન