પૃષ્ઠ:Gramonnati.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો : ૨૩૯
 

કાયમ રહે એવા સામાજિક અને આર્થિક પ્રયત્નોમાં રોકાયેલા આ બન્ને વર્ગોની આગેવાનીમાં પરમાર્થનો–સામાજિક સેવાનો અંશ પણ હોતો નથી. તેમની સંપત્તિના પ્રમાણમાં તેમને હાથે થતાં જૂજ સારાં કામ પણ તેમના સ્થાનરક્ષણને ખાતર કરવામાં આવે છે. એટલે તેમની આગેવાની પણ ગ્રામજીવનને લાભદાયક નથી.

રાજસત્તાના પ્રતિ-
નિધિઓ

ગામડાંમાં રાજસત્તાના પ્રતિનિધિઓને પણ સ્થાન છે–મહત્વનું સ્થાન છે. હિંદુસ્તાનમાં રાજસત્તા એ આદરપાત્ર દેવસત્તા કરતાં પણ વધારે બની ગઈ છે. રાજામાં વિષ્ણુનો અંશ જોનારી પ્રજા રાજવિષ્ણુના પાર્ષદોને પણ પૂજતી આવી છે. એટલે ગ્રામજનતાના માનસમાં જ રાજભક્તિ દૃઢીભૂત થયેલી હોય છે. રાજ્યને પણ ગામડાં સાથે અમુક અંશે તો સંબંધ રાખવા જ પડે છે. જમીનમહેસૂલ એ રાજ્યનું મુખ્ય ઉત્પન્ન હોવાથી ગામડે ગામડે સરકારનું વસૂલાત કરનારા નોકરો વેરાયલા હોય એ સહજ છે. જમીનવ્યવસ્થા અને જમીન મહેસૂલના અતિ મહત્ત્વના કાર્યની જવાબદારી ગામના જ કોઈ મુખ્ય માણસને માથે નાખવામાં આવે છે. અને તેને પટેલ અગર મુખી તરીકે ઓળખવામાં આવે છે. ગામનું દફતર–કામ કરવા સરકાર તરફથી પગારદાર તલાટી મુખો કે પટેલની સહાયમાં નીમવામાં આવે છે. આ પટેલ તલોટીઓ ગામ પૂરતા સત્તાધિશ હોય છે. સત્તાના બળે તેમનું ગામમાં સારું માન હોય છે, અને અનેક રીતે તેઓ ગામના સક્રિય આગેવાનો બની જાય છે.

શિક્ષક

વળી શાળા કાઢવાની ઉદારતા સરકારે બતાવી હોય તો શાળાના શિક્ષક પણ સરકારના પગારદાર પ્રતિનિધિ તરીકે અમુક અંશની પ્રતિષ્ઠા અને