પૃષ્ઠ:Gramonnati.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦ : ગ્રા મો ન્ન તિ
 

આગેવાની મેળવી શકે છે. ક્વચિત્ કોઈ ગામડે પુસ્તકાલય પણ હોવાના સંભવો વધતા જાય છે. બનતા સુધી શિક્ષક જ પુસ્તકાલયનું કામ સંભાળતા હોય છે. છતાં પુસ્તકાલય પ્રવૃત્તિ સારી ચાલતી હોય તેવાં ગામડાંમાં જુદા ગ્રંથપાલો પણ રોકવા પડે એ સહજ છે.

મોટે ભાગે ગામડાં વૈદ્યકિય સારવારથી વંચિત રહેલાં હોય છે. છતાં કવચિત ગ્રામઔષધાલય સ્થપાય તો ડોક્ટરો અને વૈદ્યો પણ પોતાના ધંધાને લઈને સ્વાભાવિક રીતે આગેવાનોમાં દાખલ થઈ શકે છે.

પંચો

વડોદરા સરખા આગળ વધેલા રાજ્યમાં તેમ જ અમુક અંશે બ્રિટિશ હિંદમાં પણ ગ્રામપંચાયતની સ્થાપના દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ખીલવણીના પ્રયત્નો થાય છે. ગામનો કારભાર ચલાવવા ચૂંટાયેલા અને નિમાયલા ગ્રામપંચાયતના સભ્યો પણ સભ્ય તરીકે અમુક અંશે આગેવાની ભોગવે છે. આમ સરકાર સાથે સીધો સંબંધ ધરાવતા, સરકારી નોકરો તથા સરકારે નીમેલા ગામ આગેવાનો સત્તાના પ્રભાવે આગેવાની કરવાની પાત્રતા ધરાવતા થાય છે.

સરકારી કામમાં રહેલી
મૂળભૂત ખામી

આ સત્તાધારી ગામનેતાઓ ધારે તો ઘણું કામ કરી શકે એવી સ્થિતિમાં મુકાયેલા હોય છે. પરંતુ કેટલાંક કારણો તેમની આગેવાનીને પણ વિષમ બનાવી દે છે. પ્રથમ તો ગામનું ભલું કરવાની તેમનામાં ભાવના જ હોતી નથી. સરકાર તરફથી નિમાવું એટલે સરકારી રાહે ઠર્યું હોય તે કામ કરવા ઉપરાંત બીજી કશી જ ફરજનો તેમને ખ્યાલ હોતો નથી. ઠરેલું કામ કરી ઠરેલો પગાર લેવાની યાંત્રિક સરળતાને લીધે તેમનું માનસ એવું શિથિલ