પૃષ્ઠ:Gramonnati.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો : ૨૪૧
 


બની જાય છે કે સરકારી કામથી આગળ તેમની દૃષ્ટિ જઈ શકતી જ નથી. ગ્રામજીવનને અને સરકારી કામને સમગ્ર દૃષ્ટિએ પિછાનવાની, એકના ભલામાં બીજાની ઉન્નતિ સમાઈ છે એ સમજવાની તેમનામાં શક્તિ હોતી નથી.

સત્તાનું દુરૂપયોગ
તરફ વલણ

છતાં સરકારી નોકરીમાં ઊંચી આવડતનો અભાવ જ હોય એમ કહેવાય નહિ. ઘણા ય પટેલ તલાટી તથા શિક્ષકો અમુક પ્રકારની હોશિયારી અને કાબેલિયત બતાવી શકે છે. પરંતુ કમનસીબે સત્તામાં પોતાનો જ દુરૂપયોગ કરનારાં તત્ત્વો વાસ કરી રહેલાં હોય છે. સત્તાને જીરવવી સહેલ નથી; સત્તાનો સન્માર્ગે જ ઉપયોગ કરવો એ બહુ મુશ્કેલ છે; સત્તામાં તટસ્થપણું સાચવવું અત્યંત દુર્ઘટ છે. મોટા મોટા અમલદારો, અધિકારીઓ અને હોદ્દાદારો સત્તાના ઉપયોગમાં ગોથું ખાઈ જાય છે. ગ્રામઅધિકારીઓ સત્તાના ઉપયોગમાં સર્વાંગે ન્યાયી અગર લોકોપયોગી રહી શકે એમ બનવું કઠણ છે. તેમની ખામીનો આ બચાવ નથી. ખામીનું સ્વાભાવિક વ્યાપકપણું દર્શાવવાનો આ કથનનો હેતુ છે.

સત્તાનું ગ્રામજીવન
પર પરિણામ

આ પટેલ, તલાટી, શિક્ષક, ગ્રંથપાલ, ડૉક્ટર જેવા સરકારી રાહે બની જતા ગ્રામ આગેવાનોમાં સત્તાનું તીવ્ર ભાન જાગૃત થાય છે, સત્તાને અંગે આળસ આવી જાય છે, પગારદારી સેવાવૃત્તિમાં સેવાભાવના જીવતી નથી, સત્તા સ્વાર્થી બને છે એટલે તે વિધાતક અને સમાજને હાનિકારક થઈ પડે છે. આજ ગામડામાં જોઈએ તો પટેલો પોતાની સત્તાના જોરે પ્રજા ઉપર સારી છાપ પાડતા નથી. સહુ ઉપર પ્રભાવ પાડવા માટે જનતાને ખોટી ખોટી રીતે દબાવવાની તેમને ટેવ પડે છે. ગામની ભાંજગડમાં તેઓ