પૃષ્ઠ:Gramonnati.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો : ૨૪૫
 


લાંબા સમય સુધી કરી શકે છે. અમલદારોની મિજબાનીઓ, અમલદારોના ફૂલહાર, અમલદારના મેળાવડા એ બધાની પાછળ આ ચૌદશિયાની મૂર્તિ સૂત્રધાર સરખી ખડી જ હોય છે.

આગેવાન તરીકે ખટપટિયો નિરુપયોગી છે એટલું જ નહિ; તે ભારે હાનિકર્તા છે. ગ્રામજીવનને તે ઝેરી બનાવે છે, કલુષિત બનાવે છે, નિર્માલ્ય બનાવે છે. પ્રજાની ખીલવણી તે અટકાવે છે. ગ્રામજીવનમાં તે ભયંકર મરકી સરખો છે. રાજા પ્રજાએ તેને પિછાની લેવો જોઈએ, તેને નિર્વિષ બનાવવો જોઈએ, અને તેની આવડતનો ઉપયોગ ગામનાં શુભ કાર્યોમાં થાય એવી તજવીજ કરવી જોઇએ. કારણ અમુક પ્રકારની આવડતવગર – અક્કલવગર – ચૌદશિયા થઈ શકાતુ નથી.

નેતૃત્વની કંગાલિયત

આમ આપણા ગ્રામજીવનનું નેતૃત્વ બહુ જ કંગાલ સ્થિતિમાં છે. તેને લીધે આપણાં ગામડાં પણ કંગાલ બની રહ્યાં છે. નિઃરસ, નિર્ધન, નિરાશાદર્શક ગામડાંની આગેવાની અકુશળ, સ્વાર્થી, બિનજવાબદાર મનુષ્યોના હાથમાં રહેલી છે એ ગામડાં જોતાં બરોબર કહી શકાય. ઉપર કહેલા ચારે પ્રકારના આગેવાનોનું ગામમાં સ્થાન છે. તેઓ ધારે તો ઘણું ઉપયોગી કામ ઘણી સારી રીતે કરી શકે. પરંતુ જે કારણોએ તેમને ગામ આગેવાની મળેલી હોય છે તે કારણો ગ્રામઉન્નતિનાં વિરોધી હોય છે. ગામનું ભલું કરવામાં તેમને કશો લાભ હોતો નથી. તેમને લાભ થતો હોય એવા પ્રકારનું ગામનું ભલું કરવાની તેમની તૈયારી હોય છે. પરંતુ વ્યક્તિગત હિત અને સામાજિક હિત પરસ્પર આથડી પડે છે. એટલે આવા આગેવાનોનું અગ્રત્વ રચનાત્મક ન હોતાં વિઘાતક હોય છે.

ખરો આગેવાન તે જ કે જે માત્ર સેવાભાવી હોય. આગેવાની