પૃષ્ઠ:Gramonnati.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો : ૨૪૭
 


૫ યોજનાશક્તિ.
૬ કુનેહ.
૭ ચારિત્ર્ય.
૮ સ્વાર્થત્યાગ.

ઉપર દર્શાવેલા આગેવાનીમાં સમાયલા ગુણો આગેવાનીનું મહત્ત્વ સૂચવે છે. પરંતુ તે સાથે એ ગુણો અશક્ય કે બહુ મુશ્કેલીભર્યા છે એમ માની ભડકવાનું પણ કારણ નથી. ચારિત્ર્ય અને સ્વાર્થ ત્યાગ એ બે સિવાયની બાબતો ચૌદશિયા ખટપટિયા આગેવાનો પણ કેળવી શકે છે. એટલે કોઈપણ ભાવનાશીલ પુરુષ–યુવક કે વૃદ્ધ–ગામને જોઈતું નેતૃત્વ પૂરું પાડી શકે એમ છે.

સ્થાયી નિવાસ

આગેવાન ગામનો સ્થાયી રહીશ હોય તો જ વધારે સારું. ખેતીના ધંધામાં તે પડેલો હોય તો તે વધારે ઈચ્છવા યોગ્ય છે. ખેડૂતના જીવનનો અને ખેડૂતની જરૂરિયાતોને તેને અંગત અનુભવ હોય તો જ તેની કાર્યદક્ષતા સચોટ બની શકે. ગાંધીજીએ કાર્યકર્તાઓને ગામડાંમાં દટાઈ જવાની જે સલાહ આપી છે એ તદ્દન વાસ્તવિક છે. ગામડાંના અંગ તરીકે જ તેણે જીવન ગુજારવું જોઈએ.

કેળવણી

કેળવણીનો અર્થ અંગ્રેજી કેળવણી જ નહિ. અંગ્રેજી ભાષાનો સહજ પરિચય હોય તો ઠીક, ન હોય તેથી નેતૃત્વમાં ભારે ખામી આવી જવાની નથી. પરંતુ અમુક કક્ષાની કેળવણી તો આગેવાનમાં જરૂરની છે જ. તેને સારી રીતે લખતાં વાંચતાં આવડવું જોઈએ. ચાલુ વર્તમાનપત્રો વાંચી સમજી શકે એવું શિક્ષણ જરૂરનું છે. સામાન્ય હિંદી રાજકીય પરિસ્થિતિ અને પરદેશમાં ચાલતી રાજકીય અને સામાજિક પરિસ્થિતિની તેને સમજ પડેલી હોવી જોઈએ. નવીન વિચારોનો