પૃષ્ઠ:Gramonnati.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૨૭
ગ્રામોન્નતિ
આ દ ર્શ ગા મ ડું
ગ્રામોન્નતિનું ધ્યેય

ગ્રામોન્નતિનું અંતિમ ધ્યેય શું ? દરેક ચળવળ, દરેક પ્રવૃત્તિ, દરેક સત્કાર્ય અમુક ઉદ્દેશને લક્ષમાં રાખી આગળ વધારાય છે. ઉદ્દેશ વગર કંઈપણ કાર્ય થતું નથી, અને થાય તો તે ફળ આપતું નથી. એટલે ધ્યેય–ઉદ્દેશની સ્પષ્ટતા એ પ્રગતિની ચાવી છે.

આદર્શ ગામ

ગ્રામોન્નતિનું અંતિમ ધ્યેય એટલે આદર્શ ગ્રામવિકાસ. ગ્રામજીવન સુધારવાનો ઉદ્દેશ નમૂનેદાર ગામનું સર્જન કરવાનો જ હોઈ શકે. જ્યાં સુધી આદર્શ ગામ રચાય નહિ ત્યાં સુધી ગ્રામોન્નતિના પ્રયત્ન સફળ થયા કહેવાય નહિ. ગ્રામોન્નતિના પ્રયત્નોની સફળતા આદર્શ ગામની રચનામાં જ પ્રગટ થવી જોઈએ. સાધન – એટલે પ્રયોગ માટે પૂરતું ધન, સેવાભાવી કાર્યકર્તાઓ, પછી ભલે તે સરકારી નોકરી હોય બિનનોકરિયાત હોય, અને ગ્રામનિવાસીઓની સહાનુભૂતિ એ ત્રણ – મળે તો વર્ષે, પાંચ વર્ષે, છેવટે દસ વર્ષે પણ આદર્શ ગામ ઉપજાવી શકાય. એક ગામ આદર્શ બને એટલે બીજાં ગામ