પૃષ્ઠ:Gramonnati.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪ : ગ્રા મો ન્ન તિ
 


ગામડાંનો અને જગ-
તનો સંબધ

અનેક આદર્શો સિદ્ધ કર્યા છે. છતાં હજી ઘણું કરવાનું બાકી રહ્યું છે. એ બાકી રહેલા અસિદ્ધ આદર્શોમાં આદર્શગામનો અભાવ પણ ગણી શકાય. જગતનાં ગામડાં આદર્શરૂપ બનશે ત્યારે જ જગત આદર્શરૂપ બનશે. જગતમાં વહેતી સ્ફૂર્તિ, જગતમાં વિકસતું જ્ઞાન, જગતે ઉપજાવેલી સગવડ, જગતે ઉપજાવેલું સૌન્દર્ય જ્યાં સુધી ગામડાંમાં લાવી શકાય નહિ અને એ સ્ફૂર્તિ, જ્ઞાન, સગવડ અને સૌન્દર્ય ગ્રામજીવનમાં પ્રતિબિંબિત કરી શકાય નહિ ત્યાં સુધી જગતની પ્રગતિ પાંગળી રહેશે. માનવજાતનાં ઉપજાવેલાં સુખસાધન અને સમૃદ્ધિમાં આખી માનવજાતને ભાગ મળવો જોઈએ. અને સાચી સમજ આવે તો એ સુખ, એ સાધન અને એ સમૃદ્ધિ જેમ વહેંચાય તેમ વધતી જાય.

આદર્શ એટલે ?

આદર્શ એટલે પૂર્ણતાની કલ્પના : સર્વાંગી વિકાસનો નકશો. એ કલ્પનામાં, એ નકશામાં સ્થળ સમયના ફેર અલબત પડે. છતાં આપણી શક્તિ અને આપણા સંસ્કારની મર્યાદા વિચારીને આપણે પૂર્ણપણાની છબી દોરી શકીએ. આજના આદર્શ આવતી કાલે અપૂર્ણ લાગે એ સંભવિત છે, પરંતુ એમાં જ આપણી સનાતન પ્રગતિ રહેલી છે. આવતી કાલનો આદર્શ આજના આદર્શને અધૂરો ઠરાવશે એ ભયથી આજનો આદર્શ મૂકી દેવાય નહિ. આજમાંથી કાલ વિકસે છે. આજનો આદર્શ સિદ્ધ થયા વિના આવતી કાલનો આદર્શ ઘડાશે જ નહિ.

આદર્શ ગામની
કલ્પના

એટલે આપણા હિંદુસ્તાનમાં કે ગુજરાતમાં સંપૂર્ણતા સૂચવતા આદર્શ ગામડાની આજ કેવી હોઈ શકે તેની આછી ઝાંખી સમાલોચના અત્યારે કરી શકાય. આદર્શ ગામની એક મનોમય