પૃષ્ઠ:Gramonnati.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૨ : ગ્રા મો ન્ન તિ
 


વર્ષે શું શું કાર્ય પૂરું કરવાનું છે તે જાણવાનું અને અમલમાં મૂકવાનું ભાન ગ્રામનેતાઓને તો હોવું જ જોઈએ.

ઉપયોગ, જ્ઞાન, અને
સોન્દર્ય એ ત્રણ વિ-
ભાગમાં વહેચાયેલું ગ્રામજીવન

આ પ્રમાણે આદર્શ ગામનાં સ્થૂલ–આંખે દેખાય એવાં ઉપયોગમાં કામો અને સૂક્ષ્મ ઉપયોગની સંસ્થાઓનો આપણે વિચાર કર્યો. સ્થૂલ ઉપયોગને આપણે માત્ર ઉપયોગ કે વ્યવહારના નામથી ઓળખીએ છીએ. સૂક્ષ્મ રીતે આપણા મન સાથે સીધી રીતે સંબંધમાં આવતા પ્રકારને જ્ઞાન વિભાગમાં મૂકીશું. પરંતુ ઉપયોગ અને જ્ઞાન એ બેમાં જ જીવન સમાઈ જતું નથી. ઉપયોગ અને જ્ઞાન ઉપરાંત જીવનનો એક રસવિભાગ – સૌન્દર્યવિભાગ – આનંદ વિભાગ છે કે જેની ખિલવણી વગર ગામનું આદર્શપણું અધૂરું જ રહેશે. રસનું અવલંબન સૌન્દર્ય, અને સૌન્દર્યનું પરિણામ આનંદ. ઉપયોગ અને જ્ઞાનમાં કલાના અંશો હોય છે, અને કલામાં ઉપયોગ અને જ્ઞાનનાં તત્ત્વો સમાયેલાં છે. તથાપિ પૃથક્કરણથી વધારે સમજુતી થવાનો સંભવ હોવાથી જે વિભાગમાં જે તત્ત્વ આગળ પડતું હોય તેને તે નામે ઓળખવાનો અત્રે પ્રયત્ન થયો છે.

ત્યારે આદર્શ ગામમાં સૌન્દર્ય કયે કયે સ્વરૂપે વ્યક્ત થવું જોઈએ તે આપણે વિચારી લઈએ.

બગીચો

(૧) આદર્શ ગામમાં એકાદ બગીચો હોય. બગીચા માટે ગામડામાં સ્થળ શોધવાની બહુ મુસીબત પડે એમ નથી. શાળા, પુસ્તકાલય, ધર્મશાળા કે ચોરાની આસપાસની મોટી જમીન એક નાનકડા બગીચા માટે ઉપયોગમાં આવી જશે. ગ્રામના નિત્ય શૃંગારમાં આ બગીચાને