પૃષ્ઠ:Gramonnati.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામેન્નતિના માર્ગ : ૨૮૯
 


શકે. ગ્રામજીવનના આનંદવિભાગને પણ નાટક, ગીત, સંમેલનો, કવાયત, રમતગમત જેવાં કાર્યથી ખીલવી શકાય. આમ એક અગર એક કરતાં વધારે બાબતો હાથ ઉપર લેઈ તેમને વર્ષોવર્ષ વિકસાવ્યા કરવી એ જ ગ્રામન્નિતિનો માર્ગ. એ સહુને માટે ખુલ્લો છે. એક વિભાગ જાગૃત થતાં બીજા વિભાગો ઉપર પણ અસર થશે જ, અને બે પાંચ વર્ષમાં ગામના જ કાર્યકર્તાઓ તૈયાર કરી શકાશે. ગામના જ રહીશોમાંથી કાર્યકર્તાઓ જાગે એટલે ગ્રામોન્નતિનો કાર્યક્રમ સફળતાને માર્ગે ચઢી ચૂક્યો એમ સમજવું.

શહેર અને ગામડાં

શહેર–નગરની અતિ પ્રવૃત્તિનો થાક ઉતારવા માટે ગ્રામકાર્યમાં થોડા સમય માનવી રોકી શકે. શહેરની હાયવરાળ, ધન શોધવાની લોલુપતા, શરીર અને મનની ચોવીસે કલાકની વ્યગ્રતા, કાર્યને ભચડી ભચડીને સમયમાં ભરવાની ઉતાવળ, ઊભે શ્વાસે સતત ચાલતી દોડધામ અને માનવતાનો ઉપરછલો–ઝળકતો સ્પર્શ શહેરી જીવનને રોગીષ્ટ બનાવે છે. એ રોગનો ભાર હળવો કરવા માટે પણ ગામડાં જરૂરી છે. ઇશ્વરે – કુદરતે ગ્રામવિભાગમાં બગીચા સર્જ્યા છે, સાધનોના ભંડાર

ભર્યા છે, જીવનને શાન્તિ આપતાં, આરોગ્ય આપનાં તત્વો છૂટે હાથે વેર્યા છે. એમાં શાન્તિ છે, નિવૃત્તિ છે, સંતોષ છે; જગતને સ્વાથ્ય આપનારાં બલો છે. ગ્રામવર્તુલમાં કવિતા છે, સંગીત છે, સાત્ત્વિક સૌન્દર્ય છે, ફિલસૂફી છે, ભક્તિ છે. જગત અને જગતની પાર નજર નાખવાની બારીઓ ગ્રામજીવનમાં અસંખ્ય છે.

ગામડું આપણું દેવ
મંદિર

એ મંદિરના દેવ પોઢ્યા છે. એ દેવને જગાડવા એટલે હિંદ