પૃષ્ઠ:Gramonnati.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







રસ્તા

માલ ઉપજાવવો
અને તેની વહેંચણી
કરવી

અર્થશાસ્ત્રના સિદ્ધાન્તોમાં ઉંડા ઉતર્યા વગર ખેતી અગર ગોપાલનમાં એટલું તો સહુ કોઈ સમજી શકશે કે માલ ઉપજાવવો કે માલ ઉપજાવીને બેસી રહેવું એ પૂરતું નથી. માલને ખપાવવો એ પણ એટલું જ જરૂરનું છે. જીવનની જરૂરીયાતો દરેક જણે પોતે ઉપજાવી પોતે જ વાપરવી એ વર્તમાન યુગમાં પૂરેપૂરૂં બને એમ નથી, અને જ્યાં યંત્રવાદનું બળ જામે છે ત્યાં તો એ અશક્ય જ બની જાય છે. કઈ સ્થિતિ સારી એ ચર્ચા અહીં નહિ કરીએ. યંત્રવાદ મક્કમપણે વધતો જાય છે એ ભૂલવાનું નથી. તેમાં ઘણી ખામીઓ રહેલી છે એ ખરું; પણ તેમાં છુપાયલી સફળતા તરફ પર દુર્લક્ષ કરવું ન જોઈએ. યંત્ર માટે માણસ નહિ, પણ માણસ માટે યંત્ર એ ભાવના તરફ આપણે વળી શકીએ તો અનેક અનર્થોના મૂળ સરખા ગણાતા યંત્રવાદને પણ માનવ ઉપયોગી વાદ બનાવી શકાય.

જરૂરીયાતો ઉપજા-
વવી અને તેનો ઉપયોગ
કરવો

પરંતુ કૃષિપ્રધાન હિંદુસ્તાનમાં હજી ખેડૂતોની એવી સ્થિતિ છે કે તેઓ જીવનની ઘણી જરૂરીયાતો પોતે ઉપભોગમાં લઈ શકે એમ છે. વિચારશીલ ખેડતો પોતાના કુટુંબનું પોષણ થાય એટલું અનાજ રાખીને જ વધારાનો માલ વેચી નાખે છે, એમ આજ સુધી થતું આવ્યું છે.