પૃષ્ઠ:Gramonnati.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બ જા ર : ૬૧
 


બચાવી શકાય તો તે ભારે સેવા ગણી શકાય એમ છે.

ખેડૂતોનાં સંગઠન

ખેડૂતો ભેગા થઇ સંગઠન કરે અને પોતાનો માલ સંગઠન દ્વારા એક સામટો વેચવાની યોજના કરે તો તે બહુ જ ઇચ્છવા યોગ્ય છે. બજારો યોજવાથી ખેડૂતોના સંગઠનને પણ પ્રેરણા મળી શકે. વળી વ્યવસ્થિત બજાર થાય તો માલની જાતમાં પણ સુધારો કરવાની પ્રવૃત્તિ વધે, માલમાં ભેળસેળ કરવાની લાલચ ઓછી થાય. સારા, મધ્યમ, અને કનિષ્ટ માલનું વર્ગીકરણ થઈ શકે એટલે વ્યાપારીઓને પણ ભેળસેળ માલથી નુકસાન થવાનો સંભવ ઘણો ઓછો થઈ જાય, અને ખેડૂત તથા વ્યાપારી એ બન્ને પક્ષને પ્રમાણિક રહેવાની જરૂર જ ઊભી થાય.

બજારની રૂપરેખા

આમ ગ્રામોન્નતિમાં બજારની સ્થાપના પણ એક મહત્વનું તત્ત્વ છે. બજાર સ્થાપન કરવામાં નીચે પ્રમાણે વ્યવસ્થા હોવી જોઇએ :–

(૧) રાજકીય, ધાર્મિક, અગર લાંબા વખતથી વ્યાપારની અનુકૂળતા માટે પ્રખ્યાત થયું હોય, અગર મધ્યમ સ્થળને લીધે અગર બીજા કોઇ કારણે વ્યાપારને ઉપયોગી થઈ પડ્યું હોય એવું સ્થળ બજાર માટે નિયુક્ત કરવું. શરૂઆતમાં તાલુકાવાર બજાર વિકસિત થાય એ ઈચ્છવા યોગ્ય છે, જો કે જરૂર પડ્યે એક તાલુકામાં બે ત્રણ બજારો પણ ઊભાં કરવાં પડે.

(૨) અસ્તિત્વમાં હોય એવાં બજાર કે હાટને પણ વિકસાવી શકાય.

(૩) બજારની સાથે આસપાસનાં ગામોને જોડતા દુરસ્ત અને સારા પહોળા રસ્તાઓ પણ રચાવા જોઈએ.