પૃષ્ઠ:Gramonnati.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહુકારી પદ્ધતિ સુધારવાના પ્રયાસો : ૭૯
 


ખાતેદાર તરીકે શાહુકાર ગણોતિયાને મરજી ફાવે ત્યારે દૂર કરી શકે છે. આવી અસ્થિરતામાં ખેડૂતથી રસ લેઈ જમીન સુધારાતી નથી અને મન મૂકીને ખેતી થતી નથી. આ વર્ષે સુધારેલી જમીન આવતે વર્ષે એના એ જ ખેડૂતને મળશે કે કેમ એ અનિશ્ચિત હોવાથી પણ ખેડૂતો લાચારી અનુભવે છે અને શાહુકારોની–જેઓ માત્ર ધીરધારને જ અંગે જમીનમાલિક થઈ પડ્યા હોય છે તેમની–દયા ઉપર જ ખેડૂતોને રહેવું પડે છે. એટલે નિયમથી બાંધેલું ગણોત ખેડૂત ભર્યે જાય ત્યાં સુધી અગર જમીનની ખરાબી કરી જમીન ઉપર નવી જવાબદારીઓ ઊભી ન કરે ત્યાં સુધી, તેને ખાતેદાર માલિકી હક્કે દૂર ન કરી શકે એવી પણ યોજના થઈ શકે છે.

ખેડૂતોના હાથમાં જ
જમીન રાખવી

એ જ પ્રમાણે ખેડૂતોના હાથમાંથી જમીન ચાલી ન જાય, અને ચાલી જાય તો એ જ વર્ગના માણસોના હાથમાં રહી શાહુકારી સ્વાર્થ અને બેદરકારીનો ભોગ ન બને એમ કરવાની જરૂર હવે બહુ જ ઊભી થઈ છે.

તગાવી

શાહુકારી પ્રથા ગ્રામજીવનની વધારે ખરાબી ન કરે એ અર્થે સરકારે પણ તગાવી આપવાની યોજના કરેલી હોય છે. વ્યક્તિગત ખેડૂતોને બી, બળદ, ઓજારો, મકાન વગેરે માટે પૈસાની જરૂર પડે તો એકલા શાહુકારોનું જ શરણુ શોધવું પડે એ સ્થિતિ ટાળવા મહાલોમાં સરકાર તરફથી થોડી થોડી રકમો ખેડૂતોને આપવા માટે રખાય છે.

શરાફી ધંધાનું નિયંત્રણ

ઉપરાંત શાહુકારો સાચા શરાફ બને, ચૂસણનીતિમાં ખેંચાઇ ન જાય અને ખરેખર ઉપયોગી ભાગ ભજવે એ અર્થે તેમની સંખ્યા ઉપર અંકુશ મુકાય, તેમના હિસાબ કિતાબ વ્યવસ્થિત રહે,