ખાતેદાર તરીકે શાહુકાર ગણોતિયાને મરજી ફાવે ત્યારે દૂર કરી
શકે છે. આવી અસ્થિરતામાં ખેડૂતથી રસ લેઈ જમીન સુધારાતી
નથી અને મન મૂકીને ખેતી થતી નથી. આ વર્ષે સુધારેલી જમીન
આવતે વર્ષે એના એ જ ખેડૂતને મળશે કે કેમ એ અનિશ્ચિત હોવાથી
પણ ખેડૂતો લાચારી અનુભવે છે અને શાહુકારોની–જેઓ માત્ર ધીરધારને
જ અંગે જમીનમાલિક થઈ પડ્યા હોય છે તેમની–દયા ઉપર
જ ખેડૂતોને રહેવું પડે છે. એટલે નિયમથી બાંધેલું ગણોત ખેડૂત
ભર્યે જાય ત્યાં સુધી અગર જમીનની ખરાબી કરી જમીન ઉપર નવી
જવાબદારીઓ ઊભી ન કરે ત્યાં સુધી, તેને ખાતેદાર માલિકી હક્કે
દૂર ન કરી શકે એવી પણ યોજના થઈ શકે છે.
જમીન રાખવી
એ જ પ્રમાણે ખેડૂતોના હાથમાંથી જમીન ચાલી ન જાય, અને ચાલી જાય તો એ જ વર્ગના માણસોના હાથમાં રહી શાહુકારી સ્વાર્થ અને બેદરકારીનો ભોગ ન બને એમ કરવાની જરૂર હવે બહુ જ ઊભી થઈ છે.
શાહુકારી પ્રથા ગ્રામજીવનની વધારે ખરાબી ન કરે એ અર્થે સરકારે પણ તગાવી આપવાની યોજના કરેલી હોય છે. વ્યક્તિગત ખેડૂતોને બી, બળદ, ઓજારો, મકાન વગેરે માટે પૈસાની જરૂર પડે તો એકલા શાહુકારોનું જ શરણુ શોધવું પડે એ સ્થિતિ ટાળવા મહાલોમાં સરકાર તરફથી થોડી થોડી રકમો ખેડૂતોને આપવા માટે રખાય છે.
ઉપરાંત શાહુકારો સાચા શરાફ બને, ચૂસણનીતિમાં ખેંચાઇ ન જાય અને ખરેખર ઉપયોગી ભાગ ભજવે એ અર્થે તેમની સંખ્યા ઉપર અંકુશ મુકાય, તેમના હિસાબ કિતાબ વ્યવસ્થિત રહે,