પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમૃતમાંથી ઉદ્વેગ
૧૧૩
 


ઉપરથી તિલ્લુએ મોટે અવાજે કહ્યું :

‘પપ્પા, સેવંતીલાલને કહો, સેફમાંથી તમારું વિલ લાવીને મને આપી જાય.’

‘અરે, પણ બૅન્ક તો ઊઘડવા દે.’

સેવંતીલાલ બોલ્યા :

‘આજે સરકારે બધી બૅન્કો બંધ રખાવી છે, પ્રકાશશેઠને કારણે. ગભરાટ એવો છે, કે બેન્કો ઉપર ડિપોઝિટરોનો દરોડો પડે તો બધી બૅન્કોને ફડચામાં લઈ જવી પડે.’

‘છતાં સેફમાં વૉલ્ટ બંધ ન હોય તો આપણા લૉકરમાંથી વિલ કાઢી લાવો.’

‘ભલે સાહેબ.’

આજનો દિવસ સર ભગન માટે આફતથી ભરપૂર ઊગ્યો હતો. વહેલી પરોઢમાં જ એમને પ્રકાશશેઠ જેવા સંભવિત વેવાઈનું મોઢું જોવું પડ્યું, એથી આખો દિવસ બગડ્યો હતેા.

બૅન્કના લૉકરમાંથી સેવંતીલાલ વિલના કાગળો લઈ આવ્યા અને સવારના પહોરમાં થયેલી શરત મુજબ એ તિલોત્તમાને સુપરત કરવા પડ્યા.

‘દીકરી, તારે શરણે છું,’ વિલ સોંપતી વેળા સર ભગને કહ્યું હતું : ‘મને જિવાડવો કે મારવો તારા હાથમાં છે.’

‘મારા હાથમાં શાનું ? પેલા તમારા ઊંચા આકાશમાં વસે છે એ આઠ ગ્રહના હાથમાં છે.’

‘એ તો કુદરતનો કોપ ગણાય, આઠ ગ્રહોની યુતિ કાંઈ આપણા હાથની થોડી વાત છે ?’

‘આપણા હાથની વાત નહિ, એ તો ગિરજા ગોરના હાથની