પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમૃતમાંથી ઉદ્વેગ
૧૧૯
 

 મર્કટને મદિરા જેવું મળશે.

‘તો એને અહીં ન લાવીએ.’

‘નહિ સાહેબ,’ સેવંતીલાલે સમજાવ્યું, ‘કાયદેસર આપણે જ એના વાલી તરીકે પેશન્ટનો કબજો સંભાળવો પડશે, ને હૉસ્પિટલમાં નુકસાનીના આઠ હજાર ભરવા પડશે.’

‘ખાતર ઉપર દીવો.’ લેડી જકલ બોલ્યાં.

‘છૂટકો જ નથી. લાવો, બુચાજીને લાવો, તિલ્લુની નજરથી એને દૂર રાખજો.’

‘પણ કેવી રીતે દૂર રાખીશું ?’

‘એને પણ પેલી રાવટીમાં પ્રકાશશેઠ અને પ્રમોદકુમાર જોડે મૂકી દો. એ બેઉ માંહોમાહે ફોડી લેશે.’