પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







૧૬.
તારો વર
 

‘હાય રે હાય ! આ તો અન્યાયની અવધ આવી રહી.’

‘પોલીસ ખાતાનો એ અધમ ઇન્સ્પેક્ટર સમજે છે શું એના મનમાં ?’

‘એને અધમ નહિ, અધમાધમ કહો.’

‘અને બીજા કોઈને નહિ ને આપણા દેવતુલ્ય આચાર્યશ્રીને અને એમના પટ્ટશિષ્યને ગુનેગાર ગણ્યા ?’

‘ઈન્સ્પેક્ટર ગોગટે કહે છે કે રાતને અંધારે મારી ભૂલ થઈ ગઈ. બેઉની દાઢી જોઈને હું છેતરાઈ ગયેલો.’

‘પણ ભૂલ થઈ ગઈ હવે એ સુધારતો શા માટે નથી ?’

‘પોલીસ ખાતામાં એક વાર લેવાઈ ચૂકેલું પગલું પાછું ખેંચી શકાય જ નહિ. પોલીસનું પગલું એટલે પણછમાંથી છૂટેલું તીર. એ તીરની જેમ પોલીસનું પગલું પણ પાછું ખેંચી શકાય જ નહિ.’

‘અરે, પણ જગદ્‌ગુરુ સમા આપણા જ્યોતિષમાર્તંડને અને એમના પ્રખર શિષ્યપ્રવરને આ પેલા લબાડલફંગાઓ જોડે લૉકઅપમાં પુરાઈ રહેવું પડે એ તે ક્યાંનો ન્યાય ?’

‘ન્યાય નહિ, અન્યાય કહો.’

‘અન્યાય નહિ, અનાચાર કહો.’

‘જે ધરતી ઉપર આવા અધર્મનું આચરણ થાય એ ધરતી પર પ્રલય ન થાય તો બીજુ શું ?’

‘આ પોતે જ અષ્ટગ્રહ યુતિનાં આગોતરાં એંધાણ. જ્યોતિષશાસ્ત્રે ભાખ્યો છે એ મહાપ્રલય હવે તો થવો જ સમજવો.’

‘આવા અનાચારી પોલીસ ઇન્સ્પેક્ટરોને પાપે જ પૃથ્વી