પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘હું વરી ચૂક્યો છું’
૧૬૩
 

 ‘અમને પણ એ જ વહેમ છે. એટલે તો તમને વિનંતી કરું છું કે તમે મારી પુત્રીનું પાણિગ્રહણ કરો.’

‘નહિ કરી શકું. જેણે મારી કાર્તિકેયની ભૂમિકા ઝૂંટવી લઈને મારું ઘોર અપમાન કર્યું એની સામે હવે હું નજર પણ નહિ કરું.’

‘તિલ્લુ સામે નહિ તો અમારી સામે તો રહેમનજર કરો.’

‘નહિ કરું, જ્યાં સુધી કાર્તિકેયનો પાઠ મને નહિ મળે ત્યાં સુધી.’