પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
ગ્રહાષ્ટક વત્તા એક
 


ચક્કર થઈ ગયો હતો.

અરે, જે કુલગોરની સૂચનાથી મેં આ યજ્ઞ યોજ્યો, અને જેને પરિણામે આ આફત ઊભી થઈ, એ માણસ પોતે પણ મંત્રો ભણતોભણતો એકાએક અલોપ થઈ ગયો છે, એમ જાણીને સર ભગનને એવી તો ચીડ ચડી કે આખરે તેમણે જોશીલી ને જોમવંતી શુદ્ધ કાઠિયાવાડી બોલીમાં પોકાર પાડ્યો :

‘એલા એય ગિરજા ! માળા નખેદ, કિયાં ગુડાણો છો ?’

‘અરરર શેઠજી !’ સાંભળીને એક બ્રહ્મપુત્ર અંધારામાં પણ ફરિયાદ કરી રહ્યો : ‘તમારા યજ્ઞના અધિષ્ઠાતા પ્રત્યે આવો તુચ્છકાર દાખવો છો ? આ યજ્ઞનું પુણ્ય–ફળ ચાલ્યું જશે.’

‘પુણ્યફળ ગયું જાહન્નમમાં. અત્યારે તો એનાં પાપનાં જ આ ફળ ભોગવું છું.’

સર ભગન તો ગભરાટમાં ને ગભરાટમાં બગીચાના માળીથી માંડીને રસોડાના મહારાજ સુધીના નોકરોને પોકારી રહ્યા, પણ અત્યારે કોણ એવો મૂર્ખ હોય કે જીવનું જોખમ ખેડીને શેઠની સેવામાં હાજર થાય ?’

‘અલ્યાઓ, કોઈ તો મેન-સ્વિચનો ફ્યુઝ બંધાવો, તો અહીં અજવાળું થાય.’

લેડી જકલ પણ બૂમો પાડતાં રહ્યાં, સર ભગતનાં આદર્શ અર્ધાંગના તરીકે તેઓ પતિની પડખોપડખ ઊભાં રહ્યાં.

તેથી જ આખરે તરણોપાય તરીકે સર ભગન પોતે જ વીજળીના સ્વિચબૉર્ડ તરફ ધસી જવા તૈયાર થયા ત્યારે લેડી જકલે એમને વાર્યાં: ‘નથી જાવું આવા કાળાઘોર અંધારામાં.’

‘પણ ફ્યુઝ નવો બંધાવુ તો લાઈટ ચાલુ થાય.’

‘પણ જશો કેમ કરીને ? પ્હણે માથે માથું તો સૂઝતું નથી.’

‘એટલે જ હું એનો ઉપાય કરાવવા માગું છું.’

‘પણ અહીં તલપૂર જગ્યા તો છે નહિ. માથે થાળી ફેંકીએ