પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રહાષ્ટક વત્તા એક
 


કંદર્પનું તો જે થવાનું હશે તે થશે, પણ મારી દીકરી આડી અડફેટે આવી જશે તો શું થશે, એની ચિંતાથી લેડી જકલ પણ શિયાવિયા થઈ રહ્યાં.

‘ક્યાં છે એ હરામહ્ખોર ?’ રસોડાને ઉંબરથી શેઠ ગરજી ઊઠ્યા.

‘અહીં તો એકલાં તિલ્લુબહેન જ છે. પેલા કંદર્પભાઈ તો ક્યાંક અલોપ થઈ ગયા લાગે છે.’

મહારાજનોને આ ઉત્તર સાંભળીને શેઠ હતાશ થઈ ગયા. સ્વતંત્ર તપાસ કરાવી. રસોડાને ખૂણેખૂણો ખેાળી વળ્યા, છતાં કંદર્પનું ક્યાંય નામનિશાન ન જણાયું ત્યારે એમની પેલી અષ્ટગ્રહીની વ્યગ્રતામાં ઉમેરો થયો. મનશું ગણગણી રહ્યા :

‘આ નવમો ગ્રહ તો મારું નખોદ કાઢી નાખશે.’