આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮
ગ્રહાષ્ટક વત્તા એક
કંદર્પનું તો જે થવાનું હશે તે થશે, પણ મારી દીકરી આડી
અડફેટે આવી જશે તો શું થશે, એની ચિંતાથી લેડી જકલ પણ
શિયાવિયા થઈ રહ્યાં.
‘ક્યાં છે એ હરામહ્ખોર ?’ રસોડાને ઉંબરથી શેઠ ગરજી ઊઠ્યા.
‘અહીં તો એકલાં તિલ્લુબહેન જ છે. પેલા કંદર્પભાઈ તો ક્યાંક અલોપ થઈ ગયા લાગે છે.’
મહારાજનોને આ ઉત્તર સાંભળીને શેઠ હતાશ થઈ ગયા. સ્વતંત્ર તપાસ કરાવી. રસોડાને ખૂણેખૂણો ખેાળી વળ્યા, છતાં કંદર્પનું ક્યાંય નામનિશાન ન જણાયું ત્યારે એમની પેલી અષ્ટગ્રહીની વ્યગ્રતામાં ઉમેરો થયો. મનશું ગણગણી રહ્યા :
‘આ નવમો ગ્રહ તો મારું નખોદ કાઢી નાખશે.’
✽