લખાણ પર જાઓ

પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
ગ્રહાષ્ટક વત્તા એક
 


તો મહાવીરચક્રને બદલે ધર્મચક્રપ્રવર્તકનો ખિતાબ મળ્યો છે.’

‘શાનો ?’

‘કાને નંબર આવ્યા છે ?’

‘માફ કરજો, પણ ઈલકાબનું નામ ખરેખર સમજાયું નહિ એટલે પૂછવું પડે છે.’

‘ધર્મચક્રપ્રવર્તક.’

‘આ ઇલકાબ તો આજે જ સાંભળ્યો. સરકાર તો કોઈને આવો ઇલકાબ આપતી નથી.’

‘અરે, સરકાર શું આપશે ? મારા શાસ્ત્રીઓએ આપ્યો છે.’

‘શાસ્ત્રી ? શાના શાસ્ત્રી ?’

‘જ્યોતિષના, મહાન જ્યોતિષમાર્તંડો… પ્રખર ચક્રચુડામણિઓ… ગિરજા ગોરનું નામ જનમ ધરીનેય સાંભળ્યું છે ?’

‘હજી એ નામનો કોઈ સમન્સ નીકળ્યો નથી.’

‘આવા મહાન જ્યોતિર્વિદોએ મને આ સહસ્ત્રચંડી યજ્ઞ કરવા બદલ ધર્મચક્રપ્રવર્તકનું બિરુદ આપ્યું છે.’

‘એ યજ્ઞ બદલ જ તમારી સામે આ વૉરન્ટ કાઢવું પડ્યું છે.’

‘કારણ કાંઈ ? યજ્ઞ કરવો એ શું ગુનો છે ?’

‘ના. પણ યજ્ઞ કરીને તમે આખાય શહેરની વીજળી બંધ કરાવી દીધી છે.’

‘શ્રીભવનની કે આખા શહેરની ?’

‘આખાયે શહેરની. યજ્ઞનો કુંડ ખોદવામાં તમે વીજળીના અન્ડરગ્રાઉન્ડ વાયરો સુધી જમીન ખોદી નાખી એમાંથી જ આ આફત ઊભી થઈ.’

‘શી રીતે ?’

‘એ ખાડામાં આગ પેટાવીને તમે માથેથી હજારો ઘડા ઘી રેડ્યું.’

‘તે ઘૃતાહુતિ વિના ગ્રહશાન્તિ યજ્ઞ ક્યાંય થાય ખરો કે ?’

‘પણ એ બળતામાં ઘી હોમીને તમે ઇલેક્ટ્રિક કૅબલનો બધો