લખાણ પર જાઓ

પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેવાઈઓ અને વરઘોડિયાં
૨૧૧
 


‘મારી તિલ્લુનું… તિલોત્તમાનું…’

‘એ ક્યારે પરણી ગઈ ?’

‘આ ઇલેક્ટ્રિક પાવર ફેઈલ ગયો એ પછી.’

‘પણ સાવ અંધારામાં એ પરણી જ કેમ શકે ?’

‘ના, એની પાસે નટરાજની મૂર્તિની ઘીનો દીવીઓ હતી. તે પેલા જલાલપરના જંગલી…’

‘કોણ બોલ્યું ઈ ?’ લૉક–અપના એક ખૂણામાંથી અવાજ ઊઠ્યો અને પછી તો, એના અનુસંધાનમાં વધારે મર્દાનગીભર્યા હાકલા–પડકારા થવા માંડ્યા :

‘જલાલપરવાળાને જંગલી કહેનારો ઈ છે કોણ કાળમખો ?’

‘કોની માએ સવાશેર સૂંઠ્ય ખાધી છે કે અમારા ગામને ગાળ દઈ જાય ?’

‘જીવતો ને જીવતો ભોંમાં ભંડારી દઈશું. અમે કોણ ? જલાલપર–બાદલાવાળા, હા.’

‘અમે ઓછાં ઊતરીએ તો અમારી પાંદરડી નદીમાં પાણીફેર જ સમજવો.’

‘ને કાં અમારી જણનારીમાં સૂંઠફેર સમજવો.’

આવાઆવા પડકાર સાંભળીને સર ભગનના કાન ચમક્યા, માર્યા ઠાર ! આ તો વખત વેરસી પોતે જ ! ને પેલા બધા એના ગામના જાનૈયા !

સર ભગનને થયું કે આ તો હાથનાં કર્યા હૈયે વાગ્યાં. પણે શ્રીભવનમાં જીવ ખાતા જાનૈયાઓને ગેરકાયદે ગૃહપ્રવેશના આરોપસર જેલમાં પુરાવ્યા તો અહીં એનો જ ભેટો થઈ થયો. પણ અત્યારે તો પોતે જ જેલવાસી બન્યા હોવાથી તુરત, સમય, પારખીને એમણે ફેરવી તોળ્યું :

‘અરે કોણ ? વખતચંદ વેવાઈ ? અરે મારા વેવાઈ !’

‘હજી હમણાં તો અમને જંગલી કીધા, ને હવે આ વેવાઈ–વેવાઈ