પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેવાઈઓ અને વરઘોડિયાં
૨૧૩
 


સર ભગને પોતાના બાહુ પસાર્યા.

વખત વેરસી કાઠિયાવાડી ઢબે સર ભગનને ભેટી પડ્યા.

જાનૈયાઓ તો આ દૃશ્ય જોઈને ડઘાઈ જ ગયા.

તુરત પોલીસના પહેરેગીરે ૫ડકાર કર્યો :

‘ખબરદાર ! જુદા પડો !’

‘કેમ અલ્યા, તારો કિયો ગરાસ લૂંટાઈ ગયો ?’ વખત વેરસીએ પૂછ્યું.

‘બે ગુનેગારો ભેગા ન થઈ શકે.’

‘ગુનેગાર ?’ જાનૈયાઓને પણ નવાઈ લાગી.

સર ભગને વેવાઈને સમજાવ્યું.

‘હું જરાક સાંકડા ભોંણમાં આવી ગયો છું, માફ કરજો, આ મહાચંડી યજ્ઞ કરાવતાં મારે હાથે જરા ટેક્‌નિકલ ભૂલ થઈ છે, એટલે મને જેલમાં નાખ્યો છે. પણ એને તો હું પહોંચી વળીશ.’

વખત વેરસીએ પડકાર કર્યો :

‘અરે, તમને જેલમાં નાખનાર છે કોણ ? ચીરીને મીઠું ભરી દઈએ.’

જાનૈયાએ તુરત આ પડકારમાં પોતાના સૂર પુરાવી દીધા :

‘અરે, અમારા વહાલા વેવાઈની આબરૂ ઉપર કોઈ હાથ નાખી જાય તો થઈ જ રહ્યું ને ? એની સાત પેઢીની ઓખાત ખાટી કરી નાખીએ.’

‘અમે કોણ ? જલાલપર–બાદલાના રહેવાસી, ઓછાં ઊતરીએ તો અમારી પાંદરડી નદીનું પાણી લાજે પાણી.’

‘તમને જેલમાં નાખનારને અમે ચપટીમાં ચોળી નાખીએ. અવાજ કરો એટલી જ વાર.’

‘અત્યારે તો એક જ કામ કરો.’

‘એક શું એકવીશ ચીંધો.’

‘તમારે જલાલપરમાં કાંઈ સ્થાવર મિલક્ત જેવું છે ખરું ?’