પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘તમારા જ સોગંદ.’

‘સોગંદ સાચા ન મનાય. હું મરી જાઉં તો તો તને મહાસુખ થઈ જાય, એ હું જાણું જ છું—’

‘તો મમ્મીના સોગંદ ખાઉં ?’

‘અલી, તારા પપ્પાને મૂકીને મને શાની ખાવા નીકળે છે?’ લેડ જકલ બોલી ઊઠ્યાં, ‘પેલા તારા નટરાજને જ ખા ને, એટલે એનો નિકાલ થઈ જાય.’

‘અરે, સોગંદ ખાધા વિના શું સાચી વાત થઈ જ ન શકે ?’ સર ભગન તાડૂકી ઊઠ્યા, ‘આ ગાંધીજી સત્ય જ બોલતા, તે શું દર વખતે કોઈના સોગંદ ખાઈ ખાઈને જ બોલતા ?’

‘નહિ જ તો વળી. સત્ય પોતે જ સ્વયં પ્રકાશિત છે, એમ અમારા પ્રોફેસર ક્લાસમાં કહે છે—’

‘અરે, એ માટે કાંઈ પ્રોફેસરનો હવાલો આપવાની જરૂર નથી. તેં પોતે જ કંદર્પને શી વાત કરી એ કહી દે ને ?’

‘મેં એને કહી દીધું કે આજ પછી આ બંગલામાં પગ મૂક્યો છે તો તારી ખેર નથી....’

‘શાબાશ !’

‘જીવ વહાલું હોય તો આ દિશામાં કદી આવીશ જ નહિ.’

‘રંગ છે, દીકરી. પછી શું થયું ?’

‘એવામાં બૂમાબૂમ થઈ પડી, ને તમે હાથમાં હૉકીસ્ટિક લઈને દોડતા આવો છો, એવી મહારાજે બાતમી આપી, એટલે કંદર્પ તો સાચે જ જીવ વહાલો ગણીને તીનપાંચ ગણી ગયો.’

‘જોયું ને ! આ કહેવાય કલાકારો, પણ કાળજાના સાવ કાચા—મ૨ઘીનાં પીલાં જેવા જ—’

આટલું બોલતાં સર ભગનને એકાએક યાદ આવ્યું કે આ શબ્દો અનુચિત હતા, તેથી થૂથૂકાર કરી રહ્યા.

‘અરે, ગોખલામાંથી ગંગાજી કાઢો, મારે મોઢેથી મરઘીનાં