લખાણ પર જાઓ

પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રૂપિયો બદલાવો
૫૧
 


બુચાજી આવી મન:સ્થિતિમાં મુંઝાઈ રહ્યા હતા એવામાં જ સર ભગને એમની હાજરીમાં જ પ્રકાશશેઠને ફોન કર્યો, અને પેલો રૂપિયો બદલવાના સાનુકૂળ સુમૂહૂર્ત અંગે પૃચ્છા કરી. સામેથી શો ઉત્તર મળ્યો એ તો બુચાજીને પૂરું સમજાયું નહિ, પણ આટલી અપૂર્ણ માહિતીએ એના દિલના ધડકારા બમણા કરી મૂક્યા.

ક્ષણ વાર તો બૅરિસ્ટરને થયું કે હાય, આ આખુંય ઔદ્યોગિક સામ્રાજ્ય પ્રકાશશેઠને ઘરે જ ગયું કે શું |

અને બીજી જ ક્ષણે એને એમ પણ થયું કે બેટા, બુચાજી, તારામાં કાંઈ પાણી બળ્યું છે કે નહિ ? જિગર હોય તો તું જાતે જ તિલ્લુ જોડે આદરાઈ જા !

વસિયતનામા ઉપર અત્ર મત્તુ, તત્ર શાખ કરીને શેઠે સેવંતીલાલને હુકમ કર્યો :

‘આ વિલ બૅંકના વૉલ્ટમાં મૂકી રાખો. મારી રજાકજા થાય ત્યારે જ એ બહાર કઢાવજો.’

સેવંતીલાલ વસિયતનામાનો લિફાફો લઈને બહાર ગયા ત્યારે બુચાજીને લાગ્યું કે એ લિફાફામાં મારું કિસ્મત પણ પુરાઈ ગયું છે, અને એ હવે બૅંકની ઠંડીગાર પેટીમાં કાયમને માટે દફન થવા જઈ રહ્યું છે.