આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન
અષ્ટગ્રહ યુતિની આગાહીઓ અને અનુભવોની પશ્ચાદ્ભૂમાં
લખાયેલી આ કથા ‘સંદેશ’ દૈનિકમાં ક્રમશઃ પ્રગટ થઈ હતી
અને ત્યારે વાચકોએ એમાં બહુ સક્રિય રસ દાખવેલો. એ વેળા
છપાયેલાં કેટલાંક ચિત્રાંકનો આ પુસ્તકમાં શામિલ કર્યા છે એ
બદલ ‘સંદેશ’ના મેનેજિંગ તંત્રી શ્રી ચિમનભાઈ પટેલનો આભારી
છું. ‘સંદેશ’ના તંત્રી શ્રી કપિલરાય મ. મહેતા તથા અન્ય
કાર્યકરોએ આ કથાની માવજતમાં જે મમત્વ દાખવેલું એનો
ઋણસ્વીકાર પણ સહર્ષ કરું છું.
ચુનીલાલ મડિયા