પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘એ તમારો મનનો વહેમ છે. બીજું કાંઈ નહિ.’

‘પણ મેં એને તિલ્લુના રૂમમાં નજરોનજર જોયો.’

‘એ તમારો ભ્રમ જ હશે. કંદર્પકુમારને તો દરવાજેથી જ પેલો રામચરન એની કુકરી મારીને ખતમ કરી નાખે.’ સર ભગને સમજાવ્યું, ‘એ ચોકિયાત તો હવે ભલભલા જ્યોતિષમાર્તંડોને પણ દરવાજે અટકાવે છે. પછી ગિરજો જઈને એ લોકોની પાકી ઓળખાણ આપે પછી જ દરવાજામાં પેસવા દે છે.’

‘પણ ચોરની સો ને શાહુકારની એક. રામચરનને આંખે પાટા બાંધીને પણ એ હરામખોર અહીં આવતો હશે તો ?’

‘પણ આવ્યો હોય તો એ પાછો જાય ક્યાં ?’

‘મને પણ હવે એ જ સમજાતું નથી કે એ આવ્યો હશે તો પણ પાછો ક્યાં ગયો ?’

‘એટલે જ તે કહું છું કે શંકા ભૂત ને મંછા ડાકણ.’

‘હવે તો મારી છોકરી પ્રમોદકુમાર જોડે પરણીપષટીને ઠેકાણે બેસે, તો જ મારા મનમાંથી શંકા-ભૂત ઓછાં થાય.’

‘થશે બધું —યથાસમયે થશે જ.’

‘યથાસમય એટલે ક્યારે ? આમ ને આમ છોકરીનો કન્યાકાળ વીતી જાય, ને મારા જેવી ઘરડીબુઢ્ઢી બની જાય ત્યારે ?’

‘તમને કોણ ઘરડાંબુઢ્ઢાં ગણે ?’

‘તમે જ તો વળી. હું શું નથી જાણતી ?’

‘અત્યારે એ જૂનો ઝઘડો ઉખેળવાની શી જરૂર ? અત્યારે જે પરણે છે એનાં જ ગીત ગાઓ ને.’

‘એટલે કે પ્રમોદકુમારનાં જ ને ?’

‘હા જ તો વળી.’

‘પણ એ હજી ક્યારે પરણશે ?’

‘અષ્ટગ્રહી પૂરી થાય કે તરત જ.’

‘પણ આજ ને અષ્ટગ્રહીની વચમાં જ કાંઈક ઊંધુંચત્તું થઈ