પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

શેક્સપિયરમાંથી 'કાવ્ય', 'ચિંંતન', 'આત્મસંભાષણ' વગેરેનું અનુકરણ કર્યું અને એની નાટ્યાત્મકતા જ નહીં પણ રંગક્ષમતાને પણ ઠીકઠીક ઉવેખી. ૨૨.

શેક્સપિયરના પ્રભાવને તપાસી તેનાં નાટકોના અનુવાદ-રૂપાંતરોની યથોચિત સમીક્ષા તેમણે કરી છે. અનુવાદ કે રૂપાંતરકારની મર્યાદાઓને સ્પષ્ટ કરી આપી એવા તારણ પર આવ્યા છે કે શેક્સપિયરનાં નાટકોના શ્રેષ્ઠ ઉત્તમ અનુવાદો થયા નથી. જેણે નાટ્યાત્મકતાને ધ્યાનમાં લીધી તે તેના કવિત્વને મૂકી ગયા છે તો ક્યાંક અનુવાદકની પ્રતિભાના પ્રશ્નો જન્મે છે. વિનોદભાઈ અનુવાદને આમેય કષ્ટસાધ્ય માને છે. કવિતા કે નાટકના અનુવાદો સહજ નથી હોતા. તે તેમની જ ભાષાનું ફરજંદ હોય છે. આપણી ભાષામાં આવતાં જ તેમાં ક્લિષ્ટતા અને કૃત્રિમતા જેવી મર્યાદાઓ જણાવા માંડે છે. 'શેક્સપિયર 'નાટ્યકવિ' છે એટલે તેની કૃતિઓ પ્રત્યેનો માત્ર તખ્તાદૃષ્ટિનો કે માત્ર સાહિત્યદૃષ્ટિનો અભિગમ નિષ્ફળ જ નીવડે. એને માટે યોગ્ય એવી વાસ્તવિક કે કલ્પનામય, વાગ્મિતાયુક્ત તેમ વ્યંજનાપૂર્ણ, સરળ તેમ ગૌરવપૂર્ણ, ઘરેલું તેમ પ્રશિષ્ટ એવી વાણીની અભિવ્યક્તિ શક્તિ જેની પાસે હોય તે જ સફળ થઈ શકે, અને આવા અનુવાદકની હજી સુધી આપણે રાહ જ જોઈ રહ્યા છીએ.' ૨૩

સરોજ પાઠક (૧૯૨૯-૧૯૮૯)

સરોજ પાઠકે કર્ટન કૉલના 'કર્ટન રેઈઝર'માં કહ્યું છે – નાટ્યવિવેચક હોવાનો કોઈ મોટો દાવો આ નથી. આ લખાણો પ્રધાનતઃ નાટ્યપ્રવૃત્તિનો અસ્વાદ-મૂલક, પરિચયાત્મક આલેખ છે. ૨૪ ગુજરાત મિત્રમાં ચાલતી કૉલમ 'કર્ટનકૉલ'માં પ્રસિદ્ધ થયેલા સમીક્ષા લેખોનો આ સંચય છે. ગુજરાત મિત્ર દૈનિકમાં અમે જે કર્ટનકૉલ વિભાગ આવી કલાપ્રવૃત્તિની સમીક્ષાનો ચલાવીએ છીએ તેનો અભિગમ મુખ્યત્વે પરિચયાત્મક તથા આસ્વાદક રહ્યો છે. છતાં એમાં કલા વિવેચનનો અંશ પણ હોય જ એ દૃષ્ટિ અમે રાખી છે.'૨૫ એમનો આશય આ વિભાગ દ્વારા નાટ્યપ્રવૃત્તિને વેગ આપવાનો ને પ્રેક્ષકોનું માર્ગદર્શન કરવાનો રહ્યો છે. સરોજ પાઠક સુરતમાં ભજવાતાં નાટકોની સમીક્ષા કરે છે. આ આલોચનામાં સંસ્થા અને કલાકારનો ટૂંકો પરિચય તેમની આગામી સિદ્ધિઓની ટૂંકી નોંધ સાથે તુલના આપે છે.

કર્ટન કૉલના ચૌદેક સમીક્ષા લેખોમાં નાટકના નાટ્યરૂપનું – દર્શનનું વિવેચન કર્યું છે. અલબત્ત, અહીં સરોજ પાઠકનો આશય આગળ ઉપર તેમણે કહ્યું છે તેમજ પરિચય અને આસ્વાદ કરાવવાનો રહ્યો છે. એટલે અહીં પ્રયોગનું કે ભજવણીના કસબનું વિવેચન ક્યાંક ક્યાંક મળી આવે છે. 'એક અધુરી વાત', 'ગાગરમાં સાગર' એ લેખમાં વડોદરાની 'પરિવર્તન' સંસ્થાએ કરેલાં શેરી નાટકોની સમીક્ષા છે.

સરોજ પાઠક તેમના આસ્વાદમૂલક કે પરિચયાત્મક આ લેખોમાં ઘણી