પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૪ર ]

જ્ઞાનનાં ઊંડાં મૂળ છે.' શિષ્યોએ ફરી કહ્યું: 'એક ભાગેલા ફળની છાલ સિવાય બીજા કશાની તેઓ ઈચ્છા કરતા નથી.' મહાત્માએ કહ્યું કે, 'આખી પૃથ્વીમાં સૂફી જેવી ભવ્ય વાંછનાવાળા મેં બીજા કોઈને જોયા નથી. એક ભાગેલા ફળના છોતરા વિના આ દુનિયાની બીજી કોઈ પણ વસ્તુની તેમને કશી જ અપેક્ષા નથી. બેશક, તેઓ નિ:સ્પૃહી છે.' પ્રેમ અને આસ્થા એ સૂફીવાદનું આવશ્યક લક્ષણ છે અને આત્મજ્યોતિનો સાક્ષાત્કાર એ તેનું પરિણામ છે.

આપણા પ્રાચીન કાળના ભક્તોનાં હૃદયગાનનો મુખ્ય વિષય જ જેમ પ્રભુભક્તિ છે, તેમ સૂફીઓની ગઝલો પણ જીવાત્મા અને પરમાત્માનો સંબંધ જ ગાય છે. સુફી તત્ત્વજ્ઞાન એટલે 'તરિકત' અથવા 'મારિફત'માં રાજયોગ સુધ્ધાંનો સમાવેશ થાય છે. સૂફીઓ માને છે કે આમાથી પરમાત્મા અભિન્ન છે. જીવાત્મા ઈશ્વરમાંથી બનેલો નહિ, પણ ખુદ 'ઈશ્વરનો બનેલો' છે અને અગ્નિની ચિનગારીઓ મૂળ અગ્નિથી જેમ જુદી નથી–સમુદ્રના તરંગો જેમ સમુદ્રથી જુદા નથી–તેમ જીવાત્મા પરમાત્માથી જુદો નથી, એવો સૂફીનો તત્ત્વસિદ્ધાંત છે. સૂફીવાદના સિદ્ધાંતોમાં સગુણ અને નિર્ગુણ ભક્તિનું ક્રમિક નિરૂપણ અને અનુસરણ છે.

ઈશ્વરી અવાજે જીવોને પૂછ્યું કે, 'શું તમે પરમાત્મા સાથે સંબદ્ધ અને અદ્વૈતમાં નથી ?' જીવોએ કહ્યું: 'બલી' એટલે 'હા.' આવી એક વાર્તા પરથી સૂફીઓનાં લખાણમાં 'બલી' અને 'નેસ્તી' (એટલે 'શું તું તે નથી ?') એવા શબ્દો જે વેદાન્તના तत्त्वमसि મહાવાકયના વ્યંજક છે, તે વારંવાર આવે છે. 'અનલહક' એ सोऽहम् વ્યંજક છે. તેઓ માને છે કે: –

પરમાત્મા અનાદ્યન્ત, સૌન્દર્ય અને પ્રેમસ્વરૂપ અને સચરાચર વ્યાપ્ત છે અને તેના સિવાયનો સ્નેહ એ માયા માત્ર