પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૫૧ ]


ॐ ।। अन्याश्रयाणां त्यागो अनन्यता ।
ॐ ।। लोके वेदेषु तदनुकूलाचरणं तद्विरोधिषूदासीनता च ।
ॐ ॥ भवतु निश्चयदाढ्यदूर्ध्वं शास्त्ररक्षणम् ।
ॐ ॥ अन्यथा पातित्या शंकया ।
ॐ ॥ नारदस्तु तदर्पिताखिलाचाग्ता । तद्विस्मरणे व्याकुलतेति ।
ॐ ॥ असत्यवमेवम् !
ॐ ॥ यथा व्रजगोपिकानाम् ।:

ભાવાર્થ કે:-

'ભક્તિ કામના સિવાયની હોવી જોઈએ, (નિરુદ્ધ ચિત્તે કરેલી તેથી) નિરોધરૂપા હોવી જોઈએ. ભક્તિ પરમ પ્રેમરૂપા એટલે પોતાનું ભાન ભૂલી જઈને લીન અને ઉન્મત્ત ભાવનાથી થયેલી હોવી જોઈએ. લોક, વેદ અને વ્યવહારનો ત્યાગ અને ઈષ્ટ પ્રેમમૂર્તિમાં અનન્યતા અને તદ્વિરોધી બાબતોમાં ઉદાસીનતા એ પ્રેમીનો નિરોધ છે. ઈષ્ટ સિવાયના અન્યાશ્રયનો ત્યાગ કરીને ભક્તિ અનન્ય થવી જોઈએ. લોક અને વેદમાં જે ઈષ્ટપ્રેમને અનુકૂળ હોય તે જ કરવું, તેનાથી વિરોધી બાબતો તરફ ઉદાસીનતા રાખવી; પરન્તુ ભક્તિમાં નિશ્ચયની દ્રઢતા થયા પહેલાં શાસ્ત્રનું રક્ષણ (પાલન) કરવું જોઈએ, અન્યથા પતિત થવાની શંકા છે. નારદનું કહેવું એવું છે કે કર્મ માત્ર તદર્પિત કરવા અને તેના વિસ્મરણથી પરમ વ્યાકુળ થવું (એ ભક્તિ છે). એ એવું જ છે-વ્રજ–ગોપિકાઓના પ્રેમ જેવો પ્રેમ–તે ભક્તિ.'

સૂફીવાદના અનુયાયીઓની પ્રેમભક્તિનું અભિજ્ઞાન ભક્તિમાર્ગના પ્રણેતા નારદમુનિ ઉપર પ્રમાણે કરાવે છે અને આશકોની ગઝલોમાં આપણે એ લક્ષણો આબાદ રીતે જોઈએ છીએ.

આશક કોને ચાહે છે, તે શેને પૂજે છે અને શા માટે પૂજે છે એ વગેરે પ્રશ્નો સિદ્ધાંત સમજવામાં સહાયક નથી–