પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૭૩ ]

‘બેહિસ્ત ને દોઝખ દોઉ ન ચાહૂં, ન ચાહૂં નામ ન રૂપ કીસીકા,
'હે નહીંકી સંધ્ય પરી જે અખાકી, જાનેગા જે કોઈ ડેર ઉસીકા !'
(સન્તપ્રિયા, અખો.)

અને,
'વેદ વખાણે વાત, ઉપનિષદ અન્તે સદા;
'તે સ્વામી સાક્ષાત્, લખ્યો અખાના ભાગ્યમાં.
'સહજે ઊઘડી સેર, ખૂંટફાટુ બુદ્ધિમાં, અખા !
'રહ્યો ઘેરનો ઘેર, નિહાલ થયો નિધિ ઊઘડ્યે.’
(અખાના અપ્રસિદ્ધ દૂહા.)

પ્રેમ અને ભક્તિનાં હિમાયતી અથવા અમુક સંપ્રદાયને વળગી રહેનારાં હૃદયો તરફથી આપણે કેટલીક વાર સાંભળીએ છીએ કે, અખો શુષ્ક વેદાન્તી છે, અને એને પ્રેમની કે ભક્તિની જાણે કશી કદર નથી ! આમ માનવું એ પ્રેમના માર્ગને અનુકૂલ છે, છતાં એ સત્ય સ્થિતિ મર્યાદાથી બાધિત છે અને પ્રેમનું અંતિમ સ્વરૂપ કૈવલ્યજ્ઞાન, તેની કદર એ સ્થિતિ કરી શકે નહિ. સ્વામી રામતીર્થ જે સત્ય આત્માનુભવથી વીસમી સદીમાં આપે છે, તે જ સત્યનું આત્મજ્ઞાન અખાએ સત્તરમી સદીમાં કરેલું છે. સ્વામી રામતીર્થ પરમ ભક્ત છે અને જ્ઞાન એ ભક્તિનું જ ક્રમિક રૂપાંતર છે. અખાને ભક્તિ કે પ્રેમની પૂરી કદર છે, એ એની વાણીમાં જ આપણે જોઈએ:-

“સ્વામી સર્વાવાસ, સભર ભર્યો સઘળે મળે;
'(પણ) દોહ્યલો મળવો દાસ, ભલ ભેદુ ભગવન્તનો.'
(અખાના દૂહા.)
‘બિરહા જ્યૂં મેહા, અખા ! મેંહતેં સબ કુછ હોય,
'હરિઆ હરિ તો દેખીએ, જે બિરહા લાગ્યો સોય.
'જ્યૂં તાંબા પરસા પાર્સકો, સો કંચન હોઈ જાય;
‘જ્યૂ બિરહા પરસા જાહિકો, સો નર સબ હરિ હો જાય.
'ભક્તિ ભક્તકો તો ફલે, જોગ, ધ્યાન તો આય;
'જ્ઞાન, અખા ! તબ ઊપજે, જે બિરહા હોઈ સમાય.