પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૭૪ ]


'સાચા હરિજન ! સબ સુનો: જો ચાહો દિદાર;
'ફિર ફિર બિરહા માગીઓ, કહત અખા નિરધાર.'
(અખાની અપ્રસિદ્ધ સાખીઓ.)

અખાની 'અક્ષયગીતા'માં ભક્તિનું નિરૂપણ જોઈએ:-

કડવું ૧૧ મું
ધન્યાશ્રી
'વળી વળી કહું છું ભક્તિ વિશેષજી, જે ન દેખે હરિ વિના શેષજી:
'પેખે સઘળા હરિને વેષજી, તે જન ન કરે કહેને ઉવેખજી.


પૂર્વ છાયા (ઊથલો).

'ઉવેખ ન કરે કોયનો, આત્મા વિલાસી રહ્યો.

'જેહને શ્રી ભાગવત ગાયે ગીતા, ઉપનિષદે જે કહ્યો.
'નિત્ય રાસ નારાયણનો, દેખે તે અનન્ત અપાર;
'જિહાં જેહવો તિહાં તેહવો, નારાયણ નર-નાર.
'ગદ્‌ગદ કંઠ ગાતે થકે, રોમાંચિત હોયે ગાત્ર;
'હર્ષ, આંસુ, બહુ હેત હૃદય, પ્રેમ કેરું તે પાત્ર.

* * *

'ખાતો પીતો બોલતો દેખતો તે સઘળે રામ;
'વેંધ્યૂ મન રહે તેહનું, શિથિલ સંસારી કામ.
'નવનીત સરખું હૃદય કોમલ, કહ્યું ન જાયે હેત.
'આંખ માંહે અમૃત ભરિયું, હરિભક્તિ કેરું ક્ષેત્ર.

અને પ્રેમના એવા તલ્લીન ભક્તને તો અખો કહે છે:-

'ઉદય ઉજાળું દે જેમ ચંદ્રમાજી, કિરણ તેહનાં પસરે વન, વિથિ, મદ્રમાંજી;
'તેમ સરખો આત્મા ભાસે કીટ, ઈંદ્રમાં જી, એહવો પ્રકટ્યો હૃદયકંદ્રમાં જી.


ઊથલો

'હૃદયગુહામાં રામ પ્રકટ્યો, તેણે પાલટો મનનો થયો;
‘માયાને ઠામે બ્રહ્મ ભાસે, સંસારનો સંભવ ગયો.

* * *