પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન


‘વિવિધ ગ્રંથમાળા'માં વિવિધતા આવવી જોઈએ. સ્ત્રીઓ અને બાળકો, નાનાં અને મોટાંઓ બધાંને રસ પડે તેમજ વિનોદ અને જ્ઞાન પ્રાપ્ત થાય એવાં પુસ્તકો આ માળામાં છપાય એવું અમારું ધ્યેય છે.

આ હેતુ પૂરો કરવાને માટે ચાલુ વર્ષમાં અતિ ઉત્તમ મૌલિક ગ્રંથ 'દત્ત અને પરશુરામ' આપવામાં આવ્યો; છત્રપતિ શિવાજીનું વિસ્તૃત ચરિત્ર આપવામાં આવ્યું અને જાણીતા સાક્ષર રા. રા. ડુંગરસી ધરમસી સંપટના હાથની લખેલી 'કચ્છની લોકવાર્તાઓ' એ પુસ્તક આપવામાં આવ્યું. વળી મહાન ચિંતક અને લેખક તરીકે ગુજરાતી સાહિત્ય ઉપર પોતાની અચળ છાપ મૂકી ગયેલા વાડીલાલ મોતીલાલ શાહનું 'સંસારમાં સુખ કયાં છે ?' એ પુસ્તક વાંચકો સમક્ષ અમે રજૂ કર્યું છે. વિક્રમના બે હજારમા વર્ષનું પંચાંગ તે પણ ઘણાં કુટુંબમાં ઉપયોગી થઈ પડે એમ ધારીને આપ્યું છે અને હવે ગુજરાતની ગઝલો.’

વયથી અને કાર્યથી ગુજરાતી સાહિત્યકારોમાં શોભા પામી રહેલા દીવાન બહાદુર કૃષ્ણલાલ મો. ઝવેરીનો 'સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય' તરફનો પક્ષપાત મોટો હોઈને તેમણે અમારા સલાહકારક મંડળનું પ્રમુખસ્થાન સ્વીકાર્યું. અમારા ખાસ આગ્રહને માન આપીને પોતાનાં ઘણાં રોકાણની વચ્ચે તેમણે ગુજરાતની ગઝલોમાંથી જૂના ને નવા લેખકોના સુંદર નમૂનાઓ