પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મોટું લખાણ અમને ચૂંટી આપ્યા. ઘણાંખરા લેખકોના તો અંગત સમાગમમાં પણ તેઓ આવ્યા છે. 'હાફિઝ અને દયારામ'ના કર્તા ગુજરાતની ગઝલની આ ચૂંટણી કરે અને પોતાના ૭૫ મા વર્ષમાં પણ એ વિશિષ્ટ વ્યક્તિ ગુજરાતી સાહિત્યની સેવાનો ઉમંગ દેખાડે, તે વાત ગુજરાતી વાચકવર્ગને આવકારલાયક થશે, એમ અમે માનીએ છીએ.

ગઝલો એટલે ઇશ્કની કવિતા એવી સામાન્ય માન્યતા કેટલી ભૂલભરેલી છે તે દેખાડવાને માટે અમે રા. રા. સાગર (જગન્નાથ દામોદર ત્રિપાઠી)નો એક અપ્રતિમ અને ગુજરાતી સાહિત્યમાં હંમેશને માટે જળવાઈ રહેવા યોગ્ય નિબંધ આ પુસ્તકને છેડે પરિશિષ્ટમાં મૂકેલો છે. ગઝલનાં સંશોધન અને સંગ્રહ ગુજરાતમાં ર. રા. સાગરને હાથે થયાં છે. તે પોતે કવિ જ નહિ પણ યોગી હતા. આ વાતની યાદગીરી ગુજરાતમાં હંમેશ માટે રહેવી જોઈએ એમ અમારું માનવું છે. તેમના પુત્ર રા. રા. યોગેન્દ્ર જ0 ત્રિપાઠીએ અમને આ નિબંધ છાપવાની તેમજ તેમનાં બીજાં પુસ્તકો છાપવાની રજા આપી છે, તે માટે અમે તેમને ધન્યવાદ આપીએ છીએ.

પોતાના સુંદર કાર્યનો નમૂનો ગુજરાતી વાચકોમાં આ સંગ્રહદ્વારા પહોંચે તે માટે ગઝલોના લેખકોએ અનુમતિ દર્શાવી. છે. તે સારુ અમે તેમનો પણ આભાર માનીએ છીએ.

મુંબઈ
તા. ૯-૭–૪૩
સસ્તુ સાહિત્ય મુદ્રણાલયના ટ્રસ્ટીઓ વતી
મનું સુબેદાર
પ્રમુખ