પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભાષાની ' ગઝલો ' મોટે ભાગે નામની જ ગઝલો રહી છે.*[૧] તેનો લેખક અને 'ગઝલ' નાં મૂળ અને જરૂરી અંશોને ન જાણનાર વાચક જ, તેને ગઝલરૂપે ઓળખે છે.

સ્વ. અમૃત કેશવ નાયકને ઉર્દૂનું જ્ઞાન હતું, તેથી તેની 'ગઝલો'ને 'ગઝલ'નું નામ આપી શકાય. આપણા ગુજરાતી સાહિત્યમાં 'ગઝલ' લખનાર કેટલાક મુસ્લિમ લેખકોની 'ગઝલ' તે નામે ઓળખી શકાય, કારણ તેમણે પણ ઉચ્ચ ઉર્દૂ શાએરોની ગઝલોનો અભ્યાસ કરેલ હોવાથી તેઓ પણ 'ગઝલ'ના રૂપરંગ પકડી શકેલા. આગળના પારસીઓ માટે તેમ કહી શકાય, કારણ તેઓને ફારસીનો અભ્યાસ કરવો જરૂરનો હતો. પરંતુ હિંદુ લેખકોની કૃતિઓમાં તો મોટે ભાગે બલકે પૂરેપૂરી ઊણપ રહી જ ગઈ છે.

'ગઝલ' એ છંદનું નામ નથી. 'ગઝલ' એ કાવ્યનો એક પ્રકાર છે. એ મૂળ અરબ્બી શબ્દ છે અને એનો અર્થ પ્રેમયુક્ત ભાષામાં અથવા કાવ્યરૂપે બોલવું એમ થાય છે. તે શબ્દના ક્રિયા–વાચક નામ તરીકે 'મુગાઝેલત' એ રૂપમાં એનો અર્થ સ્ત્રીઓ જોડે પ્યાર કરવા અથવા તો તેમની જોડે જુવાનીમાં ભોગવાતી મઝાઓ સંબંધી વાતચીત કરવી. વધારામાં એવું પણ કહેવામાં આવે છે કે 'ગઝલ' નામનો એક માણસ હતો. તેણે પેતાની આખી જિંદગી સ્ત્રીઓ જોડે મોજ મઝા માણવામાં ગુજારેલી, તે ઉપરથી એવા મઝા વર્ણવનારા કાવ્યને 'ગઝલ' નામ અપાયેલું.

‘ગઝલ'ની ફારસીમાં કાવ્યરચના કેવા પ્રકારની હોય છે, તે વિસ્તારથી અત્રે જણાવવાની જરૂર નથી; કારણ ગુજરાતી ભાષામાં લખાતી ગઝલો તે રચનાને વળગી રહી શકે તેમ નથી અને લેખકો તેને વળગી રહ્યા પણ નથી. એ કાવ્યની પાંચ, સત્તર યા ઓગણીસ બેતની સંખ્યા રાખવામાં આવે છે, અને દરેક બેતને બે મિસરા યા ચરણ હોય છે. આ ગઝલોના પ્રાસના અંત્યાક્ષર તરીકે ફારસી મૂળાક્ષરના જેટલા અક્ષર છે–જેવા કે


  1. *'ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો,',” પૃષ્ઠ ૯૧, ૯૨, ૯૪, ૯૮.