પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
22
ચંપી

ત્સવમાં પડી ગયેલા ખંભાતને યાદ નહોતું રહ્યું કે એના સાચેસાચા દુશ્મનનું શું થયું. એ દુશ્મન સદીક હતો. વસ્તુપાલનું ચિત્ત ઉત્સવમાં નહોતું પણ સદીકનો પીછો લેવામાં રોકાયું હતું. શંખ આવ્યો હતો સદીકનો તેડાવ્યો. લક્ષ્મી લૂંટી હતી સદીકે. સદીકને છેલ્લો જોયો હતો યુદ્ધની સંધ્યાએ, શત્રુની છાવણીમાં. અને ભુવનપાલ જ્યારે એક પછી એક ભરૂચી યોદ્ધાને પટકતો હતો ત્યારે શંખના સૈન્યની પાછળ નાસભાગ કરતો એ માનવી પણ સદીક જ હતો. એ જોતો હતો, કોનો જય થાય છે તેની વાટ. પણ તે પછી એનો પત્તો નહોતો. એ પત્તો મેળવવા ત્રણ દિવસથી હેરકો છૂટ્યા હતા. તેમણે ખબર લાવી આપ્યા કે સદીક શેઠ પોતાના વહાણમાં ચડીને દૂર દરિયે જઈ બેઠા છે.

"કેમ હજુ રોકાયો છે?”

“એની અઢળક સંપત્તિ આંહીં પડી છે. મૂકીને ક્યાં જાય? શંખના માણસોએ એને સંઘર્યો નહીં એટલે હવે સદીકને દરિયા સિવાય કોઈનું શરણું નથી.”

"આંહીં આવવા માગે છે?”

“હા, કહે છે કે મને મારી ન નાખે તો પાછો આવું.”

“અરે, ગાંડો !” વસ્તુપાલે વિષ્ટિકારોને કહ્યું, “એ ક્યાં દુશ્મન હતો? દુશ્મન તો શંખ હતો. સદીક શેઠ તો પ્રજાજન છે, વેપારી છે. અહીં આવતો એને કોણ અટકાવે છે? ભલેને આવે !”

સદીકનાં હિતસ્વી જનોએ આવીને અભયદાન માગ્યું: “પણ મંત્રીજી ! એને મારી નહીં નાખોને?”

“ના રે ના. મારું વચન છે. જાઓ લઈ આવો.”

એટલે સદીકને પાછો તેડી લાવવા એના સ્વજનો દરિયે ગયા, ને આંહીં પાછળ લોકો ભયભીત બની મંત્રી પાસે આવ્યા; કહ્યું, “આપે આ શી ભલાઈ બતાવી? સદીક શેઠ તો વિશ્વાસઘાતનો અવતાર છે. ગુજરાત સમસ્તનું નિકંદન કાઢશે.”

“નહીં, સદીક શેઠ તો બાપડા સ્તંભતીર્થને બચાવવા જ મથતા હતા,” મંત્રીએ