પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
11
પૌરુષની સમસ્યા

તિ અને જેઠની અનિચ્છા છતાં વીરમદેવને મળી લેવા અનુપમા ઉત્સુક હતી, પણ વીરમદેવ ક્યાંય સાંપડ્યો નહીં, એને તો વસ્તુપાલના વિરોધી પટ્ટણીઓએ સાકરના સરોવરોમાં ડુબાડી દીધો હતો.

અનુપમા ધોળકે આવી ત્યારે લૂણસીને પણ લાગ્યું કે બા કંઈક બદલાઈ ગઈ છે. એનું ચિત્ત પુત્રમાં, પતિમાં, ઘરમાં, શામાંય પરોવાતું નહોતું. સ્તંભતીર્થથી એણે જેઠને જલદી મળવા બોલાવ્યા.

વસ્તુપાલ આવ્યો, પણ લજવાતો લજવાતો. અનુપમાએ ચંદ્રાવતીની હિજરત કેવી રીતે ટાળી નાખી હતી તેથી મંત્રી માહિતગાર બની ચૂક્યો હતો. ચંદ્રાવતીવાળાઓને મંત્રીએ 'બાપડા' કહેલા તેનો જ અનુપમાના માથામાં ચસકો ચાલ્યો હતો. શરણાગત બનીને આવે તે ચંદ્રાવતી નહીં ! એવો ભાવ અનુપમાની આંખોમાં શાંત અગ્નિનું શયન કરીને સૂતેલો જોયો. એણે મૂંગાં મૂંગાં પણ આ નારીની માફી માગી. ચંદ્રાવતી વિશે બેઉ વચ્ચે જાણે કશી ચર્ચા જ બાકી રહી નહોતી.

“આપને જલદી મળવાનું કારણ તો –” અનુપમા નીચે જોઈ ગઈ.

“હા, તમે લખી મોકલેલું તે કારણ મેં જાણ્યું છે,” એમ કહીને વસ્તુપાલે પૂછ્યું, “પણ તેજલને તમારી સેવાથી સંતોષ છે તો પછી આ શી હઠ પકડી છે?”

“પણ એટલી સેવા હું હવેથી એમને પહોંચાડી શકું તેમ ન હોય તો?”

“એટલે?”

“મને રાજી થઈને સૌ ચંદ્રાવતી રહેવા જવાની રજા આપો.”

“સાસરિયાંની શૂળી આટલે વર્ષે સાલી કે?”

“ના ના મને પિયરિયાંની પાલખીએ નથી લલચાવી.”

“ત્યારે?”

"ત્યાં બેઠે બેઠે પણ એમની – આપ સૌની જ સેવા કરવી છે.”

“એ શું વળી?”

“એક તો દેલવાડાની જે જમીન આપે ઉતાવળ કરાવીને ખરીદવી તે પર